૭૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
(शार्दूलविक्रीडित)
जीवाजीवविचित्रवस्तुविविधाकारर्द्धिरूपादयो
रागद्वेषकृतो ऽत्र मोहवशतो द्रष्टाः श्रुताः सेविताः ।
जातास्ते द्रढबन्धनं चिरमतो दुःखं तवात्मन्निदं
नूनं जानत एव किं बहिरसावद्यापि धीर्धावति ।।१४७।।
અનુવાદ : હે આત્મન્! અહીં જે જીવ અને અજીવરૂપ વિચિત્ર વસ્તુઓ,
અનેક પ્રકારના આકાર, ૠદ્ધિઓ અને રૂપ આદિ રાગ-દ્વેષ ઉત્પન્ન કરનાર છે. તે
તેમને મોહને વશ થઈને જોયા છે, સાંભળ્યા છે તથા તેમનું સેવન પણ કર્યું છે. તેથી
તેઓ તારા માટે ચિરકાળથી દ્રઢ બંધનરૂપ થયા છે કે જેથી તને દુઃખ ભોગવવું પડે
છે. આ બધું જાણવા છતાં પણ તારી તે બુદ્ધિ આજે ય કેમ બાહ્ય પદાર્થો તરફ
દોડી રહી છે? ૧૪૭.
(शार्दूलविक्रीडित)
भिन्नोऽहं वपुषो बहिर्मलंकृतान्नानाविकल्पौघतः
शब्दादेश्च चिदेकमूर्तिरमलः शान्तः सदानन्दभाक् ।
इत्यास्था स्थिरचेतसो द्रढतरं साम्यादनारम्भिणः
संसाराद्भयमस्ति किं यदि तदप्यन्यत्र कः प्रत्ययः ।।१४८।।
અનુવાદ : હું બાહ્ય મળથી (રજ – વીર્યથી) ઉત્પન્ન થયેલા આ શરીરથી,
અનેક પ્રકારના વિકલ્પોના સમુદાયથી તથા શબ્દાદિકથી પણ ભિન્ન છું. સ્વભાવથી
હું ચૈતન્યરૂપ, અદ્વિતીય શરીરથી સંપન્ન, કર્મમળ રહિત, શાન્ત અને સદા આનંદનો
ઉપભોક્તા છું. આ પ્રકારના શ્રદ્ધાનથી જેનું ચિત્ત સ્થિરતા પામી ગયું છે તથા જે
સમતાભાવ ધારણ કરીને આરંભરહિત થઈ ગયું છે તેને સંસારનો શો ભય છે? કાંઈ
પણ નહિ. અને જો ઉપર્યુક્ત દ્રઢ શ્રદ્ધાન હોવા છતાં પણ સંસારનો ભય છે તો પછી
બીજે ક્યાં વિશ્વાસ કરી શકાય? ક્યાંય નહિ. ૧૪૮.
(शार्दूलविक्रीडित)
किं लोकेन किमाश्रयेण किमथ द्रव्येण कायेन किं
किं वाग्भिः किमुतेन्द्रियैः किमसुभिः किं तैर्विकल्पैरपि ।