Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 155-156 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 79 of 378
PDF/HTML Page 105 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૭૯
(स्रग्धरा)
आत्मैकः सोपयोगो मम किमपि ततो नान्यदस्तीति चिन्ता-
भ्यासास्ताशेषवस्तोः स्थितपरममुदा यद्गतिर्नो विकल्पे
ग्रामे वा कानने वा जनजनितसुखे निःसुखे वा प्रदेशे
साक्षादाराधना सा श्रुतविशदमतेर्बाह्यमन्यत्समस्तम्
।।१५५।।
અનુવાદ : ઉપયોગ (જ્ઞાન-દર્શન) યુક્ત એક આત્મા જ મારો છે, તેના
સિવાય બીજું કાંઈ પણ મારું નથી; આ જાતના વિચારના અભ્યાસથી સમસ્ત બાહ્ય
પદાર્થો તરફથી જેનો મોહ હટી ગયો છે તથા જેની બુદ્ધિ આગમના અભ્યાસથી નિર્મળ
થઈ ગઈ છે એવા સાધુ પુરુષના મનની પ્રવૃત્તિ વિકલ્પોમાં હોતી નથી. તે ગ્રામ અને
વનમાં તથા પ્રાણી માટે સુખ ઉત્પન્ન કરનારા સ્થાનમાં અને તે સુખ રહિત સ્થાનમાં
પણ સમબુદ્ધિ રહે છે અર્થાત્ ગ્રામ અને સુખયુક્ત સ્થાનમાં તે હર્ષિત થતો નથી
તથા એનાથી વિપરીત વન અને દુઃખયુક્ત સ્થાનમાં તે ખેદ પણ પામતો નથી. આને
જ સાક્ષાત્ આરાધના કહેવામાં આવે છે, બીજું બધું બાહ્ય છે. ૧૫૫.
(शार्दूलविक्रीडित)
यद्यन्तर्निहितानि खानि तपसा बाह्येन किं फल्गुना
नैवान्तर्निहितानि खानि तपसा बाह्येन किं फल्गुना
यद्यन्तर्बहिरन्यवस्तु तपसा बाह्येन किं फल्गुना
नैवान्तर्बहिरन्यवस्तु तपसा बाह्येन किं फल्गुना
।।१५६।।
અનુવાદ : જો ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ હોય તો પછી વ્યર્થના બાહ્ય
તપથી કાંઈ પ્રયોજન નથી અને જો તે ઇન્દ્રિયો અંતરાત્માની સન્મુખ ન હોય તો
પણ બાહ્ય તપ કરવું વ્યર્થ જ છે
તેનાથી કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. જો
અંતરંગ અને બાહ્યમાં અન્ય વસ્તુ પ્રત્યે અનુરાગ હોય તો બાહ્યમાં તપથી શું
પ્રયોજન છે? તે વ્યર્થ જ છે. એનાથી ઉલટું જો અંતરંગ અને બાહ્યમાં પણ અન્ય
વસ્તુ પ્રત્યે અનુરાગ ન હોય તો પણ વ્યર્થ બાહ્ય તપથી શું પ્રયોજન? અર્થાત્
કાંઈ પણ નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મસન્મુખ હોય તો ઇષ્ટ