આવશ્યકતા નથી રહેતી. પરંતુ ઉક્ત ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મોન્મુખ ન હોતાં જો બાહ્ય પદાર્થો તરફ
જઈ રહી હોય તો બાહ્ય તપ કરવા છતાં પણ યથાર્થ સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી આ
અવસ્થામાં પણ બાહ્ય તપ વ્યર્થ જ ઠરે છે. એ જ રીતે જો અંતરંગમાં અને બાહ્યમાં પર વસ્તુ
પ્રત્યે અનુરાગ રહ્યો ન હોય તો બાહ્ય તપનું પ્રયોજન આ સમતાભાવથી જ પ્રાપ્ત થઈ જાય છે,
તેથી તેની આવશ્યકતા રહેતી નથી. અને જો અંતરંગ અને બાહ્યમાં પરપદાર્થો પ્રત્યેનો અનુરાગ
હટ્યો ન હોય તો ચિત્ત રાગ-દ્વેષથી દૂષિત કહેવાને કારણે બાહ્ય તપનું આચરણ કરવા છતાં પણ
તેનાથી કાંઈ પ્રયોજન સિદ્ધ નહિ થાય. તેથી આ અવસ્થામાં પણ બાહ્ય તપની આવશ્યકતા રહેતી
નથી. તાત્પર્ય એ છે કે બાહ્ય તપશ્ચરણ પહેલાં ઇન્દ્રિયદમન, રાગ-દ્વેષનું શમન અને મન, વચન
તથા કાયાની સરળ પ્રવૃત્તિ થવી અત્યાવશ્યક છે. એ થતાં જ તે બાહ્ય તપશ્ચરણ સાર્થક થઈ શકશે,
અન્યથા તેની નિરર્થકતા અનિવાર્ય છે. ૧૫૬.
शुद्धादेश इति प्रभेदजनकं शुद्धेतरत्कप्लितम्
છે તે શુદ્ધાદેશ કહેવાય છે અને જે ભેદને પ્રગટ કરે છે તે શુદ્ધથી ઇતર અર્થાત્
અશુદ્ધનય કલ્પિત કરાયો છે. સમ્યગ્દ્રષ્ટિએ શેષ બે ઉપાયોમાંથી પ્રથમ શુદ્ધ તત્ત્વનો
આશ્રય લેવો જોઈએ. બરાબર છે
शुद्धादेशविवक्षया स हि ततश्चिद्रूप इच्युच्यते
र्ज्ञातं किं न विलोकितं न किमथ प्राप्तं न किं योगिभिः