Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 157-158 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 80 of 378
PDF/HTML Page 106 of 404

 

background image
૮૦ ][ ભગવાનશ્રીકુંદકુંદ
પ્રયોજન એટલા માત્રથી જ સિદ્ધ થઈ જાય છે, પછી તેને માટે બાહ્ય તપશ્ચરણની કાંઈ પણ
આવશ્યકતા નથી રહેતી. પરંતુ ઉક્ત ઇન્દ્રિયોની પ્રવૃત્તિ આત્મોન્મુખ ન હોતાં જો બાહ્ય પદાર્થો તરફ
જઈ રહી હોય તો બાહ્ય તપ કરવા છતાં પણ યથાર્થ સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી આ
અવસ્થામાં પણ બાહ્ય તપ વ્યર્થ જ ઠરે છે. એ જ રીતે જો અંતરંગમાં અને બાહ્યમાં પર વસ્તુ
પ્રત્યે અનુરાગ રહ્યો ન હોય તો બાહ્ય તપનું પ્રયોજન આ સમતાભાવથી જ પ્રાપ્ત થઈ જાય છે,
તેથી તેની આવશ્યકતા રહેતી નથી. અને જો અંતરંગ અને બાહ્યમાં પરપદાર્થો પ્રત્યેનો અનુરાગ
હટ્યો ન હોય તો ચિત્ત રાગ-દ્વેષથી દૂષિત કહેવાને કારણે બાહ્ય તપનું આચરણ કરવા છતાં પણ
તેનાથી કાંઈ પ્રયોજન સિદ્ધ નહિ થાય. તેથી આ અવસ્થામાં પણ બાહ્ય તપની આવશ્યકતા રહેતી
નથી. તાત્પર્ય એ છે કે બાહ્ય તપશ્ચરણ પહેલાં ઇન્દ્રિયદમન, રાગ-દ્વેષનું શમન અને મન, વચન
તથા કાયાની સરળ પ્રવૃત્તિ થવી અત્યાવશ્યક છે. એ થતાં જ તે બાહ્ય તપશ્ચરણ સાર્થક થઈ શકશે,
અન્યથા તેની નિરર્થકતા અનિવાર્ય છે. ૧૫૬.
(शार्दूलविक्रीडित)
शुद्धं वागतिवर्तितत्त्वमितरद्वाच्यं च तद्वाचकं
शुद्धादेश इति प्रभेदजनकं शुद्धेतरत्कप्लितम्
तत्राद्यं श्रवणीयमेव सुद्रशा शेषद्वयोपायतः
सापेक्षा नयसंहतिः फलवती संजायते नान्यथा ।।१५७।।
અનુવાદ : શુદ્ધ તત્ત્વ વચન અગોચર છે, એનાથી વિપરીત અશુદ્ધ તત્ત્વ
વચન ગોચર છે અર્થાત્ શબ્દ દ્વારા કહી શકાય છે. શુદ્ધ તત્ત્વને જે ગ્રહણ કરે
છે તે શુદ્ધાદેશ કહેવાય છે અને જે ભેદને પ્રગટ કરે છે તે શુદ્ધથી ઇતર અર્થાત્
અશુદ્ધનય કલ્પિત કરાયો છે. સમ્યગ્દ્રષ્ટિએ શેષ બે ઉપાયોમાંથી પ્રથમ શુદ્ધ તત્ત્વનો
આશ્રય લેવો જોઈએ. બરાબર છે
નયોનો સમુદાય પરસ્પર સાપેક્ષ હોવાથી જ
પ્રયોજનભૂત થાય છે. પરસ્પરની અપેક્ષા ન કરવાથી તે નિષ્ફળ જ રહે છે. ૧૫૭.
(शार्दूलविक्रीडित)
ज्ञानं दर्शनमव्यशेषविषयं जीवस्य नार्थान्तरं
शुद्धादेशविवक्षया स हि ततश्चिद्रूप इच्युच्यते
पर्यायैश्च गुणैश्च साधु विदिते तस्मिन् गिरा सद्गुरो-
र्ज्ञातं किं न विलोकितं न किमथ प्राप्तं न किं योगिभिः
।।१५८।।