Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 163-165 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 83 of 378
PDF/HTML Page 109 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૮૩
(मन्दाक्रान्ता)
जित्वा मोहमहाभटं भवपथे दत्तोग्रदुःखश्रमे
विश्रान्ता विजनेषु योगिपथिका दीर्घे चरन्तः क्रमात्
प्राप्ता ज्ञान धनाश्चिरादभिमतस्वात्मोपलम्भालयं
नित्यानन्दकलत्रसंगसुखिनो ये तत्र तेभ्यो नमः
।।१६३।।
અનુવાદ : અત્યંત તીવ્ર દુઃખ અને પરિશ્રમ ઉત્પન્ન કરનાર લાંબા સંસારના
માર્ગમાં ક્રમશઃ ગમન કરનાર જે યોગીરૂપ પથિક મોહરૂપી મહાન યોદ્ધાને જીતીને એકાન્ત
સ્થાનમાં વિશ્રામ પામે છે. ત્યાર પછી જે જ્ઞાનરૂપી ધનથી સંપન્ન થયા થકા
સ્વાત્મોપલબ્ધિના સ્થાનભૂત પોતાના ઇષ્ટ સ્થાન (મોક્ષ) ને પ્રાપ્ત થઈને ત્યાં અવિનશ્વર-
સુખ (મુક્તિ) રૂપી સ્ત્રીનાં સંગથી સુખી થઈ જાય છે તેમને નમસ્કાર હો. ૧૬૩.
(स्रग्धरा)
इत्यादिर्धर्म एषः क्षितिपसुरसुखानर्ध्यमाणिक्यकोशः
पाथो दुःखानलानां परमपदलसत्सौधसोपानराजिः
एतन्माहात्म्यमीशः कथयति जगतां केवली साध्वधीता
सर्वस्मिन् वाङ्मये ऽथ स्मरति परमहो मा
द्रशस्तस्य नाम ।।१६४।।
અનુવાદ : ઇત્યાદિ (ઉપર્યુક્ત) આ ધર્મ, રાજા અને દેવોના સુખરૂપ અમૂલ્ય
રત્નોનો ખજાનો છે, દુઃખરૂપ અગ્નિને શાંત કરવા માટે જળ સમાન છે તથા ઉત્તમ
પદ અર્થાત્ મોક્ષરૂપ મહેલની સીડીઓની પંક્તિ સમાન છે. તેના મહિમાનું વર્ણન
તે કેવળી જ કરી શકે છે જે ત્રણે લોકના અધિપતિ હોવાથી સમસ્ત આગમમાં નિષ્ણાત
છે. મારા જેવો અલ્પજ્ઞ મનુષ્ય તો કેવળ તેનું નામસ્મરણ કરે છે. ૧૬૪.
(शार्दूलविक्रीडित)
शाश्वज्जन्मजरान्तकालविलसद्दुःखौघसारीभवत्-
संसारोग्रमहारुजोपहृतये ऽनन्तप्रमोदाय च
एतद्धर्मरसायनं ननु बुधाः कर्तुं मतिश्चेत्तदा
मिथ्यात्वाविरतिप्रमादनिकरक्रोधादि संत्यज्यताम्
।।१६५।।