Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 166-167 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 84 of 378
PDF/HTML Page 110 of 404

 

background image
૮૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
અનુવાદ : હે વિદ્વાનો! નિરંતર જન્મ, જરા અને મરણરૂપ દુઃખોના સમૂહમાં
સારભૂત એવા સંસારરૂપ તીવ્ર મહારોગને દૂર કરીને અનંત સુખ પ્રાપ્ત કરવા માટે
જો આપની આ ધર્મરૂપી રસાયણ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તો મિથ્યાત્વ, અવિરતિ
અને પ્રમાદના સમૂહનો તથા ક્રોધાદિ કષાયોનો પરિત્યાગ કરો. ૧૬૫.
(शार्दूलविक्रीडित)
नष्टं रत्नमिवाम्बुधौ निधिरिव प्रभ्रष्टदृष्टेर्यथा
योगो यूपशलाकयोश्च गतयोः पूर्वापरौ तोयधी
संसारे ऽत्र तथा नरत्वमसकृद्दुःखप्रदे दुर्लभं
लब्धे तत्र च जन्म निर्मलकुले तत्रापि धर्मे मतिः
।।१६६।।
અનુવાદ : જેમ સમુદ્રમાં વિલીન થયેલા રત્નનું ફરીથી પ્રાપ્ત થવું દુર્લભ છે.
આંધળાને નિધિ મળવાનું દુર્લભ છે તથા જુદી જુદી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને પ્રાપ્ત
થયેલ યૂપ (યજ્ઞમાં પશુને બાંધવાનું લાકડું) અને શલાકા (યજ્ઞમાં ખોડવામાં આવેલી
ખીલી) નો ફરી સંયોગ થવો દુર્લભ છે; તેવી જ રીતે નિરંતર દુઃખ આપનાર આ
સંસારમાં મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરવી પણ અતિશય દુર્લભ છે. જો કદાચિત્ આ
મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ પણ જાય તોય નિર્મળ કુળમાં જન્મ લેવો અને ત્યાં પણ
ધર્મમાં બુદ્ધિ લાગવી, એ ઘણું જ દુર્લભ છે. ૧૬૬.
(शार्दूलविक्रीडित)
न्यायादन्धकवर्तकीयकजनाख्यानस्य संसारिणां
प्राप्तं वा बहुकल्पकोटिभिरिदं कृच्छ्रान्नरत्वं यदि
मिथ्यादेवगुरूपदेशविषयव्यामोहनीचान्वय-
प्रायैः प्राणभृतां तदेव सहसा वैफल्यमागच्छति
।।१६७।।
અનુવાદ : સંસારી પ્રાણીઓને આ મનુષ્ય પર્યાય ‘अन्धकवर्तकीयक’ રૂપ જન
આખ્યાનના ન્યાયે કરોડો કલ્પ કાળોમાં મહા કષ્ટે પ્રાપ્ત થઈ છે, અર્થાત્ જેવી રીતે
આંધળા મનુષ્યના હાથમાં બટેર પક્ષીનું આવવું દુર્લભ છે તેવી જ રીતે આ મનુષ્ય
પર્યાય પ્રાપ્ત થવી પણ અત્યંત દુર્લભ છે. વળી જો તે કરોડો કલ્પકાળમાં કોઈ પ્રકારે