જો આપની આ ધર્મરૂપી રસાયણ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે તો મિથ્યાત્વ, અવિરતિ
અને પ્રમાદના સમૂહનો તથા ક્રોધાદિ કષાયોનો પરિત્યાગ કરો. ૧૬૫.
योगो यूपशलाकयोश्च गतयोः पूर्वापरौ तोयधी
लब्धे तत्र च जन्म निर्मलकुले तत्रापि धर्मे मतिः
થયેલ યૂપ (યજ્ઞમાં પશુને બાંધવાનું લાકડું) અને શલાકા (યજ્ઞમાં ખોડવામાં આવેલી
ખીલી) નો ફરી સંયોગ થવો દુર્લભ છે; તેવી જ રીતે નિરંતર દુઃખ આપનાર આ
સંસારમાં મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરવી પણ અતિશય દુર્લભ છે. જો કદાચિત્ આ
મનુષ્ય પર્યાય પ્રાપ્ત થઈ પણ જાય તોય નિર્મળ કુળમાં જન્મ લેવો અને ત્યાં પણ
ધર્મમાં બુદ્ધિ લાગવી, એ ઘણું જ દુર્લભ છે. ૧૬૬.
प्राप्तं वा बहुकल्पकोटिभिरिदं कृच्छ्रान्नरत्वं यदि
प्रायैः प्राणभृतां तदेव सहसा वैफल्यमागच्छति
આંધળા મનુષ્યના હાથમાં બટેર પક્ષીનું આવવું દુર્લભ છે તેવી જ રીતે આ મનુષ્ય
પર્યાય પ્રાપ્ત થવી પણ અત્યંત દુર્લભ છે. વળી જો તે કરોડો કલ્પકાળમાં કોઈ પ્રકારે