અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૮૫
પ્રાપ્ત પણ થઈ ગઈ તો તે મિથ્યા દેવ અને મિથ્યા ગુરુના ઉપદેશ, વિષય અનુરાગ
અને નીચ કુળમાં ઉત્પત્તિ આદિ દ્વારા સહસા નિષ્ફળ જાય છે. ૧૬૭.
(वसंततिलका)
लब्धे कथं कथमपीह मनुष्यजन्म-
न्यङ्ग प्रसंगवशतो हि कुरु स्वकार्यम् ।
प्राप्तं तु कामपि गतिंकुमते तिरश्चां
कस्त्वां भविष्यति विबोधयितुं समर्थः ।।१६८।।
અનુવાદ : હે દુર્બુદ્ધિ પ્રાણી! જો અહીં તને કોઈ પણ પ્રકારે મનુષ્ય જન્મ
પ્રાપ્ત થઈ ગયો છે તો પછી પ્રસંગ પામીને પોતાનું કાર્ય (આત્મહિત) કરી લે. નહિ
તો જો તું મરીને કોઈ તિર્યંચ પર્યાય પામીશ તો પછી તને સમજાવવા માટે કોણ
સમર્થ થશે? અર્થાત્ કોઈ સમર્થ થઈ શકશે નહિ. ૧૬૮.
(शार्दूलविक्रीडित)
जन्म प्राप्य नरेषु निर्मलकुले क्लेशान्मतेः पाटवं
भक्तिं जैनमते कथं कथमपि प्रागर्जितश्रेयसः ।
संसारार्णवतारकं सुखकरं धर्मं न ये कुर्वते
हस्तप्राप्तमनर्ध्यरत्नमपि ते मुञ्चन्ति दुर्बुद्धयः ।।१६९।।
અનુવાદ : જે મનુષ્યો મનુષ્ય પર્યાયમાં ઉત્તમ કુળમાં જન્મ લઈને કષ્ટપૂર્વક
બુદ્ધિચાતુર્યને પામ્યા છે તથા જેમણે પૂર્વોપાર્જિત પુણ્યકર્મના ઉદયથી કોઈપણ પ્રકારે
જૈનમતમાં ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે છતાં પણ જો તેઓ સંસાર-સમુદ્રનો પાર
કરાવીને સુખ ઉત્પન્ન કરનાર ધર્મ કરતા નથી તો સમજવું જોઈએ કે તે દુર્બુદ્ધિજનો
હાથમાં પ્રાપ્ત થવા છતાં પણ અમૂલ્ય રત્ન છોડી દે છે. ૧૬૯.
(शार्दूलविक्रीडित)
तिष्ठत्या युरतीव दीर्घमखिलान्यङ्गानि दूरं द्रढा-
न्येषा श्रीरपि मे वशं गतवती किं व्याकुलत्वं मुधा ।
आयत्यां निरवग्रहो गतवया धर्मं करिष्ये भरा-
दित्येवं बत चिन्तयन्नपि जडो यात्यन्तकग्रासताम् ।।१७०।।