Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 173-175 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 87 of 378
PDF/HTML Page 113 of 404

 

background image
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૮૭
તે વિષયતૃષ્ણા છોડીને આત્મહિતમાં પ્રવૃત્ત થતો નથી, એ કેટલા ખેદની વાત છે. ૧૭૨.
(वसंततिलका)
रङ्कायते परिद्रढोऽपि द्रढोऽपि मृत्यु-
मभ्येति दैववशतः क्षणतोऽत्र लोके
तत्कः करोति मदमम्बुजपत्रवारि-
बिन्दूपमैर्धनकलेवरजीविताद्यैः
।।१७३।।
અનુવાદ : અહીં સંસારમાં રાજા પણ દૈવવશ થઈને રંક જેવો બની જાય છે તથા
પુષ્ટ શરીરવાળો મનુષ્ય પણ કર્મોદયથી ક્ષણવારમાં જ મૃત્યુ પામી જાય છે.એવી
અવસ્થામાં ક્યો બુદ્ધિમાન પુરુષ કમળપત્ર ઉપર રહેલા જળબિંદુ સમાન વિનાશ પામનાર
ધન, શરીર અને જીવન આદિ વિષયમાં અભિમાન કરે? અર્થાત્ ક્ષણમાં ક્ષીણ થનાર આ
પદાર્થોના વિષયમાં વિવેકી જન કદી પણ અભિમાન કરતા નથી. ૧૭૩.
(शार्दूलविक्रीडित)
प्रातर्दर्भदलाग्रकोटिघटितावश्यायबिन्दूत्कर-
प्रायाः प्राणधनाङ्गजप्रणयिनीमित्रादयो देहिनाम्
अक्षाणां सुखमेतदुग्रविषवद्धर्मं विहाय स्फु टं
सर्वं भङ्गुरमत्र दुःखदमहो मोहः करोत्यन्यथा
।।१७४।।
અનુવાદ : પ્રાણીઓના પ્રાણ, ધન, પુત્ર, સ્ત્રી અને મિત્ર આદિ પ્રાતઃકાળમાં
દર્ભ ઘાસના પાંદડાની અણી ઉપર રહેલ ઝાકળના ટીપાઓ સમાન અસ્થિર છે. આ
ઇન્દ્રિયજન્ય સુખ તીક્ષ્ણ વિષ સમાન પરિણામે દુઃખદાયક છે. તેથી એ સ્પષ્ટ છે કે
અહીં ધર્મ સિવાય અન્ય સર્વ પદાર્થો વિનશ્વર અને કષ્ટદાયક છે પરંતુ આશ્ચર્ય છે
કે આ સંસારી પ્રાણી મોહવશ થઈને આ વિનશ્વર પદાર્થોને સ્થિર માનીને તેમાં
અનુરાગ કરે છે અને સ્થાયી ધર્મને ભૂલી જાય છે. ૧૭૪.
(शार्दूलविक्रीडित)
तावद्वल्गति वैरिणां प्रति चमूस्तावत्परं पौरुषं
तीक्ष्णस्तावदसिर्भुजौ
द्रढतरौ तावच्च कोपोद्गमः