Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 176-177 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 88 of 378
PDF/HTML Page 114 of 404

 

background image
૮૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
भूपस्यापि यमो न यावददयः क्षुत्पीडितः सन्मुखं
धावत्यन्तरिदं विचिन्त्य विदुषा तद्रोधको मृग्यते
।।१७५।।
અનુવાદ : જ્યાં સુધી ભૂખથી પિડાયેલ નિર્દય યમરાજ (મૃત્યુ) સામે આવતા
નથી ત્યાં સુધી રાજાની પણ સેના શત્રુઓ ઉપર આક્રમણ કરવા પ્રસ્થાન કરે છે,
ત્યાં સુધી ઉત્કૃષ્ટ પુરુષાર્થ પણ રહે છે, ત્યાં સુધી તીક્ષ્ણ તરવાર પણ સ્થિર રહે છે,
ત્યાં સુધી બન્ને હાથ પણ અતિશય દ્રઢ રહે છે અને ત્યાં સુધી ક્રોધ પણ ઉદય
પામે છે. આમ વિચાર કરીને વિદ્વાન પુરુષ ઉક્ત યમરાજનો નિગ્રહ કરનાર તપ
આદિની ખોજ કરે છે. ૧૭૫.
(मालिनी)
रतिजलरममाणो मृत्युकैवर्तहस्त-
प्रसृतधनजरोरुप्रोल्लसज्जालमध्ये
निकटमपि न पश्यत्यापदां चक्रमुग्रं
भवसरसि वराको लोकमीनौघ एषः
।।१७६।।
અનુવાદ : જેની મધ્યમાં મૃત્યુરૂપી નાવિકે પોતાને હાથે સઘન જરારૂપી
વિસ્તૃત જાળ ફેલાવી દીધી છે એવા સંસારરૂપી સરોવરમાં રાગરૂપી જળમાં રમણ
કરનાર આ બિચારા જનરૂપી માછલીઓનો સમુદાય સમીપમાં આવેલી મહાન
આપત્તિઓનો સમૂહ દેખતો નથી. ૧૭૬.
(शार्दूलविक्रीडित)
क्षुद्भुक्तेस्तृडपीह शीतलजलाद्भूतादिका मन्त्रतः
सामादेरहितो गदाद्गदगणः शान्तिं नृभिर्नीयते
नो मृत्युस्तु सुरैरपीति हि मृते मित्रे ऽपि पुत्रे ऽपि वा
शोको न क्रियते बुधैः परमहो धर्मस्ततस्तज्जयः
।।१७७।।
અનુવાદ : સંસારમાં મનુષ્ય ભોજનથી ક્ષુધાને, જળથી તરસને, મંત્રથી ભૂત
પિશાચાદિને, સામ, દામ, દંડ અને ભેદથી શત્રુને તથા ઔષધથી રોગોના સમૂહને શાન્ત
કર્યા કરે છે. પરંતુ મૃત્યુને દેવ પણ શાન્ત કરી શકતા નથી. આ રીતે વિચાર કરીને
વિદ્વાન્ મનુષ્યો મિત્ર અથવા પુત્ર મરવા છતાં શોક કરતા નથી, પણ એક માત્ર ધર્મનું