लब्ध्वानन्दं सुचिरममरश्रीसरस्यां रमन्ते
यान्त्येतस्मादपि शिवपदं मानसं भव्यहंसा
આનંદપૂર્વક દેવોની લક્ષ્મીરૂપ સરોવરમાં ચિરકાળ સુધી રમણ કરે છે. ત્યાંથી આવીને
તેઓ રાજ્યપદ રૂપ સરોવરમાં રમણ કરે છે. અંતે તેઓ ત્યાંથી પણ નીકળીને
અવિનશ્વર મોક્ષપદરૂપી માનસ સરોવરને પ્રાપ્ત કરે છે.
જઈ પહોંચે છે તેવી જ રીતે ધર્માત્મા ભવ્યજીવ તે ધર્મના પ્રભાવથી નરકાદિ દુર્ગતિઓના કષ્ટથી
બચીને ક્રમશઃ દેવપદ અને રાજપદના સુખ ભોગવતા થકા અંતે મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે. ૧૭૮.
धर्मादेव दिगङ्गनाङ्गविलसच्छश्वद्यशश्चन्दनाः
पापेनेति विजानता किमिति नो धर्मः सता सेव्यते
તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, નાગેન્દ્ર અને કૃષ્ણ (નારાયણ) આદિ પદ ધર્મથી જ
પ્રાપ્ત થાય છે. ધર્મ રહિત મનુષ્ય નિશ્ચયથી પાપના પ્રભાવથી નરકાદિક
દુર્ગતિઓમાં દુઃખ સહન કરે છે. આ વાતને જાણતા થકા સજ્જન પુરુષ ધર્મની
આરાધના કેમ નથી કરતા? ૧૭૯.