Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 180-182 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 90 of 378
PDF/HTML Page 116 of 404

 

background image
૯૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
(शार्दूलविक्रीडित)
स स्वर्गः सुखरामणीयकपदं ते ते प्रदेशाः पराः
सारा सा च विमानराजिरतुलप्रेङ्खत्पताकापटा
ते देवाश्च पदातयः परिलसत्तन्नन्दनं ताः स्त्रियः
शक्रत्वं तदनिन्द्यमेतदखिलं धर्मस्य विस्फू र्जितम्
।।१८०।।
અનુવાદ : સુખ વડે રમણીયપણું પામેલ તે સ્વર્ગનું પદ, તે તે ઉત્કૃષ્ટ
સ્થાન, લહેરાતા અનુપમ ધ્વજવસ્ત્રોથી સુશોભિત તે શ્રેષ્ઠ વિમાનપંક્તિ, તે દેવ, તે
પાયદળ સૈનિકો, શોભાયમાન તે નંદનવન, તે સ્ત્રીઓ તથા તે અનિન્દ્ય ઇન્દ્રપદ;
આ બધું ધર્મના પ્રકાશમાં પ્રાપ્ત થાય છે. ૧૮૦.
(शार्दूलविक्रीडित)
यत्षट्खण्डमही नवोरुनिधयो द्विःसप्तरत्नानि यत्
तुङ्गा यद्द्विरदा रथाश्च चतुराशीतिश्च लक्षाणि यत्
यच्चाष्टादशकोटयश्च तुरगा योषित्सहस्त्राणि यत्
षड्युक्ता नवतिर्यदेकविभुता तद्धमि धर्मप्रभोः ।।१८१।।
અનુવાદ : છ ખંડ (પૂર્ણ ભરત, ઐરાવત અથવા કચ્છા આદિ ક્ષેત્રે) રૂપ
પૃથ્વીનો ઉપભોગ; મહાન નવનિધિ, બે વાર સાત (७×ર) અર્થાત્ ચૌદ રત્ન, ઉન્નત
ચોરાસી લાખ હાથી અને એટલા જ રથ, અઢાર કરોડ ઘોડા, છન્નુહજાર સ્ત્રીઓ
અને એક છત્ર રાજ્ય; આ જે ચક્રવર્તીપણાની સંપત્તિ પ્રાપ્ત થાય છે તે બધી
ધર્મપ્રભુના જ પ્રતાપે પ્રાપ્ત થાય છે. ૧૮૧.
(शार्दूलविक्रीडित)
धर्मो रक्षति रक्षितो ननु हतो हन्ति ध्रुवं देहिनां
हन्तव्यो न ततः स एव शरणं संसारिणां सर्वथा
धर्मः प्रापयतीह तत्पदमपि ध्यायन्ति यद्योगिनो
नो धर्मात्सुहृदस्ति नैव च सुखी नो पण्डितो धार्मिकात्
।।१८२।।
અનુવાદ : જો ધર્મની રક્ષા કરવામાં આવે તો તે પણ ધર્માત્મા પ્રાણીની