તો તે પણ નિશ્ચયથી પ્રાણીઓનો ઘાત કરે છે અર્થાત્ તેમને નરકાદિ યોનિઓમાં
પહોંચાડે છે. તેથી ધર્મનો ઘાત ન કરવો જોઈએ કારણ કે તે સંસારી પ્રાણીઓનું
સર્વ પ્રકારે રક્ષણ કરનાર તે જ છે. ધર્મ અહીં તે (મોક્ષ) પદને પણ પ્રાપ્ત
કરાવે છે કે જેનું ધ્યાન યોગીઓ કરતા રહે છે. ધર્મ સિવાય બીજો કોઈ મિત્ર
(હિતેચ્છક) નથી તથા ધાર્મિક પુરુષની અપેક્ષાએ બીજો કોઈ ન તો સુખી હોઈ
શકે અને ન પંડિત. ૧૮૨.
प्रोद्भुताद्भुतभूरिकर्ममकरग्रासीकृतप्राणिनि
नो धर्मादपरो ऽस्ति तारक इहाश्रान्तं यतध्वं बुधाः
થયેલ આશ્ચર્યજનક અનેક કર્મરૂપી મગરોના કોળિયા બની જાય છે, જેનો પાર ઘણી
કઠિનતાથી પ્રાપ્ત કરી શકાય છે તથા જે ગંભીર અને અતિશય ભયાનક છે; એવા
જન્મરૂપી સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓનો ઉદ્ધાર કરનાર ધર્મ સિવાય બીજો કોઈ નથી.
તેથી હે વિદ્વાનો! આપ નિરંતર ધર્મના વિષયમાં પ્રયત્ન કરો. ૧૮૩.
र्नीरोगं वपुरादिरायुरखिलं धर्माद्ध्रुवं जायते
यैरुत्कण्ठितमानसैरिव नरो नाश्रीयते धार्मिकः
આયુષ્ય પરિપૂર્ણ થાય છે અર્થાત્ અકાળ મરણ થતું નથી. અથવા સંસારમાં એવી
કોઈ લક્ષ્મી નથી, એવું કોઈ સુખ નથી અને એવો કોઈ નિર્મળ ગુણ નથી કે જે