સમસ્ત સુખની સામગ્રી એક માત્ર ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે વિવેકી જીવોએ
સદાય તે ધર્મનું આચરણ કરવું જોઈએ. ૧૮૪.
नद्यः सिन्धुमिवाम्बुजाकरमिव श्वेतच्छदाः पक्षिणः
सर्वे धार्मिकमाश्रयन्ति न हितं धर्मं विना किंचन
છે અને જેવી રીતે હંસ પક્ષી સરોવરનું આલંબન લે છે; તેવી જ રીતે વીરતા, ત્યાગ,
વિવેક, પરાક્રમ, કીર્તિ, સંપત્તિ અને સહાયક આદિ બધું ધાર્મિક પુરુષનો આશ્રય લે
છે. બરાબર છે
प्रासादीयसि यत्सुखीयसि सदा रूपीयसि प्रीयसि
निर्धूताखिलदुःखदापदि सुहृद्धर्मे मतिर्धार्यताम्
મહેલની ઇચ્છા કરતા હો, સુખની ઇચ્છા કરતા હો, સુંદર રૂપની ઇચ્છા કરતા હો,
પ્રીતિની ઇચ્છા કરતા હો અથવા જો અનંત સુખરૂપ અમૃતના સમુદ્ર જેવા ઉત્તમ સ્થાન
(મોક્ષ)ની ઇચ્છા રાખતા હો તો નિશ્ચયથી સમસ્ત દુઃખદાયક આપત્તિઓનો નાશ
કરનાર ધર્મમાં તમારી બુદ્ધિ જોડો. ૧૮૬.
कामिन्यो गिरिमस्तके ऽपि सरसाः साराणि रत्नानि च