Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 185-187 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 92 of 378
PDF/HTML Page 118 of 404

 

background image
૯૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
ઉત્કંઠાપૂર્વક ધાર્મિક પુરુષનો આશ્રય લેતા ન હોય. અભિપ્રાય એ છે કે ઉપર્યુક્ત
સમસ્ત સુખની સામગ્રી એક માત્ર ધર્મથી જ પ્રાપ્ત થાય છે. માટે વિવેકી જીવોએ
સદાય તે ધર્મનું આચરણ કરવું જોઈએ. ૧૮૪.
(शार्दूलविक्रीडित)
भृङ्गाः पुष्पितकेतकीमिव मृगा वन्यामिव स्वस्थलीं
नद्यः सिन्धुमिवाम्बुजाकरमिव श्वेतच्छदाः पक्षिणः
शौर्यत्यागविवेकविक्रमयशःसंपत्सहायादयः
सर्वे धार्मिकमाश्रयन्ति न हितं धर्मं विना किंचन
।।१८५।।
અનુવાદ : જેવી રીતે ભમરા ફૂલેલા કેતકી વૃક્ષનો આશ્રય લે છે, મૃગ જેવી
રીતે પોતાના જંગલી સ્થાનનો આશ્રય લે છે, નદીઓ જેવી રીતે સમુદ્રનો સહારો લે
છે અને જેવી રીતે હંસ પક્ષી સરોવરનું આલંબન લે છે; તેવી જ રીતે વીરતા, ત્યાગ,
વિવેક, પરાક્રમ, કીર્તિ, સંપત્તિ અને સહાયક આદિ બધું ધાર્મિક પુરુષનો આશ્રય લે
છે. બરાબર છે
ધર્મ સિવાય બીજું કોઈ પ્રાણીને હિતકારક નથી. ૧૮૫.
(शार्दूलविक्रीडित)
सौभागीयसि कामिनीयसि सुतश्रेणीयसि श्रीयसि
प्रासादीयसि यत्सुखीयसि सदा रूपीयसि प्रीयसि
यद्वानन्तसुखामृतम्बुधिपरस्थानीयसीह ध्रुवं
निर्धूताखिलदुःखदापदि सुहृद्धर्मे मतिर्धार्यताम्
।।१८६।।
અનુવાદ : હે મિત્ર! જો તમે અહીં સૌભાગ્યની ઇચ્છા રાખતા હો, સુંદર
સ્ત્રીની ઇચ્છા રાખતા હો, પુત્રોની ઇચ્છા કરતા હો, લક્ષ્મીની ઇચ્છા કરતા હો,
મહેલની ઇચ્છા કરતા હો, સુખની ઇચ્છા કરતા હો, સુંદર રૂપની ઇચ્છા કરતા હો,
પ્રીતિની ઇચ્છા કરતા હો અથવા જો અનંત સુખરૂપ અમૃતના સમુદ્ર જેવા ઉત્તમ સ્થાન
(મોક્ષ)ની ઇચ્છા રાખતા હો તો નિશ્ચયથી સમસ્ત દુઃખદાયક આપત્તિઓનો નાશ
કરનાર ધર્મમાં તમારી બુદ્ધિ જોડો. ૧૮૬.
(शार्दूलविक्रीडित)
संछन्नं कर्मलैर्मरावपि सरः सौधं वने ऽप्युन्नतं
कामिन्यो गिरिमस्तके ऽपि सरसाः साराणि रत्नानि च