Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 190-192 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 94 of 378
PDF/HTML Page 120 of 404

 

background image
આલિંગાય છે અર્થાત્ ઉદ્યોગ રહિત મનુષ્ય પણ અત્યંત સંપત્તિવાન્ બની જાય છે.
જે કોઈ પ્રશંસનીય અન્ય સમસ્ત પદાર્થ અહીં દુર્લભ ગણાય છે તે બધા પુણ્યના
ઉદયથી પ્રાપ્ત થઈ જાય છે. ૧૮૯.
(शार्दूलविक्रीडित)
बन्धस्कन्धसमाश्रितां सृणिभृतामारोहकाणामलं
पृष्ठे भारसमर्पणं कृतवतां संचालनं ताडनम्
दुर्वाचं वदतामपि प्रतिदिनं सर्वं सहन्ते गजा
निःस्थाम्नां बलिनो ऽपि यत्तदखिलं दुष्टो विधिश्चेष्टते
।।१९०।।
અનુવાદ : જે મહાવત હાથીને બાંધીને તેના સ્કંધ (કાંધ) ઉપર બેસે છે,
અંકુશ ધારણ કરે છે, પીઠ ઉપર ભારે બોજો લાદે છે, સંચાલન અને તાડન કરે
છે, તથા દુષ્ટ વચનો પણ બોલે છે, એવા તે પરાક્રમહીન મહાવતોના સમસ્ત
દુર્વ્યવહારને પણ જે હાથી બળવાન હોવા છતાં પણ પ્રતિદિન સહન કરે છે એ
બધી દુર્દૈવની લીલા છે, અર્થાત્ એને પાપકર્મનું જ ફળ સમજવું જોઈએ. ૧૯૦.
(शार्दूलविक्रीडित)
सर्पो हारलता भवत्यसिलता सत्पुष्पदामायते
संपद्येत रसायनं विषमपि प्रीतिं विधत्ते रिपुः
देवा यान्ति वशं प्रसन्नमनसः किं वा बहु ब्रूमहे
धर्मो यस्य नभोऽपि तस्य सततं रत्नैः परैर्वर्षति
।।१९१।।
અનુવાદ : ધર્માત્મા પ્રાણીને ઝેરી સાપ હાર બની જાય છે, તલવાર સુંદર
ફૂલોની માળા બની જાય છે, ઝેર પણ ઉત્તમ ઔષધિ બની જાય છે, શત્રુ પ્રેમ કરવા
માંડે છે અને દેવ પ્રસન્નચિત્ત થઈને આજ્ઞાકારી થઈ જાય છે. ઘણું શું કહેવું? જેની
પાસે ધર્મ હોય તેની ઉપર આકાશ પણ નિરંતર રત્નોની વર્ષા કરે છે. ૧૯૧.
(शार्दूलविक्रीडित)
उग्रग्रीष्मरविप्रतापदहनज्वालाभितप्तश्चिरं
यः पित्तप्रकृतिर्मरौ मृदुतरः पान्थः पथा पीडितः
૯૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ