Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 193-194 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 95 of 378
PDF/HTML Page 121 of 404

 

background image
तद् द्राग्लब्धहिमाद्रिकुञ्जरचितप्रोद्दामयन्त्रोल्लसद्-
धारावेश्मसमो हि संसृतिपथे धर्मो भवेद्देहिनः
।।१९२।।
અનુવાદ : મરુભૂમિ (મારવાડ)માં ચાલનાર જે પિત્તપ્રકૃતિવાળો સુકુમાર
મુસાફર ગ્રીષ્મ ૠતુના તીક્ષ્ણ સૂર્યના પ્રકૃષ્ટ તાપરૂપ અગ્નિની જ્વાળાથી સંતપ્ત થઈને
લાંબા સમયથી માર્ગના શ્રમથી પીડા પામ્યો છે તેને જેમ તરત જ હિમાલયની
લત્તાઓથી બનેલ અને ઉત્કૃષ્ટ ફુવારાઓથી શોભાયમાન ધારાગૃહ પ્રાપ્ત થતાં અપૂર્વ
સુખનો અનુભવ થાય છે તેવી જ રીતે સંસારમાર્ગમાં ચાલતા પ્રાણીને ધર્મથી અભૂતપૂર્વ
સુખનો અનુભવ થાય છે. ૧૯૨.
(शार्दूलविक्रीडित)
संहारोग्रसमीरसंहतिहतप्रोद्भूतनीरोल्लसत्-
तुङ्गोर्मिभ्रमितोरुनक्रमकरग्राहादिभिर्भीषणे
अम्भोधौ विधुतोग्रबाडवशिखिज्वालाकराले पत-
ज्जन्तोःखे ऽपि विमानमाशु कुरुते धर्मः समालम्बनम्
।।१९३।।
અનુવાદ : જે સમુદ્ર ઘાતક તીક્ષ્ણ વાયુ (પ્રલય પવન)ના સમૂહથી
આઘાત પામીને જળમાં ઉત્પન્ન થનાર ઉન્નત લહરીઓથી આમતેમ ઉછળતા નક્ર,
મગર અને ગ્રાહ આદિ હિંસક જળજંતુઓથી ભય ઉત્પન્ન કરનાર છે તથા કંપિત
તીક્ષ્ણ વાડવાગ્નિની જ્વાળાથી ભયાનક છે એવા તે સમુદ્રમાં પડતા જીવોને ધર્મ
શીઘ્રતાથી આકાશમાં પણ આલંબનભૂત વિમાન કરી દે છે. ૧૯૩.
(स्रग्धरा)
उह्यन्ते ते शिरोभिः सुरपतिभिरपि स्तूयमानाः सुरौधै-
र्गीयन्ते किन्नरीभिर्ललितपदलसद्गीतिभिर्भक्तिरागात्
बम्भ्रम्यन्ते च तेषां दिशि दिशि विशदाः कीर्तयः का न वा स्यात्
लक्ष्मीस्तेषु प्रशस्ता विदधति मनुजा ये सदा धर्ममेकम्
।।१९४।।
અનુવાદ : જે મનુષ્ય સદા અદ્વિતીય ધર્મનો આશ્રય લે છે તેમને ઇન્દ્રો
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]૯૫