धारावेश्मसमो हि संसृतिपथे धर्मो भवेद्देहिनः
લાંબા સમયથી માર્ગના શ્રમથી પીડા પામ્યો છે તેને જેમ તરત જ હિમાલયની
લત્તાઓથી બનેલ અને ઉત્કૃષ્ટ ફુવારાઓથી શોભાયમાન ધારાગૃહ પ્રાપ્ત થતાં અપૂર્વ
સુખનો અનુભવ થાય છે તેવી જ રીતે સંસારમાર્ગમાં ચાલતા પ્રાણીને ધર્મથી અભૂતપૂર્વ
સુખનો અનુભવ થાય છે. ૧૯૨.
तुङ्गोर्मिभ्रमितोरुनक्रमकरग्राहादिभिर्भीषणे
ज्जन्तोःखे ऽपि विमानमाशु कुरुते धर्मः समालम्बनम्
મગર અને ગ્રાહ આદિ હિંસક જળજંતુઓથી ભય ઉત્પન્ન કરનાર છે તથા કંપિત
તીક્ષ્ણ વાડવાગ્નિની જ્વાળાથી ભયાનક છે એવા તે સમુદ્રમાં પડતા જીવોને ધર્મ
શીઘ્રતાથી આકાશમાં પણ આલંબનભૂત વિમાન કરી દે છે. ૧૯૩.
र्गीयन्ते किन्नरीभिर्ललितपदलसद्गीतिभिर्भक्तिरागात्
लक्ष्मीस्तेषु प्रशस्ता विदधति मनुजा ये सदा धर्ममेकम्