લલિત પદોથી શોભાયમાન ગીતો દ્વારા તેમના ભક્તિપૂર્વક ગુણગાન કરે છે તથા
તેમનો યશ પ્રત્યેક દિશામાં વારંવાર ભ્રમણ કરે છે અર્થાત્ તેમની કીર્તિ બધી
જ દિશામાં ફેલાઈ જાય છે. અથવા તેમને કઈ પ્રશસ્ત લક્ષ્મી પ્રાપ્ત થતી નથી?
અર્થાત્ તેમને બધા જ પ્રકારની શ્રેષ્ઠ લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે. ૧૯૪.
धर्मः कामगवीप्सितप्रदमणिर्धर्मः परं दैवतम्
धर्मो भ्रातरुपास्यतां किमपरैः क्षुद्रैरसत्कल्पनैः
અથવા ચિન્તામણિ સમાન ઇષ્ટ વસ્તુઓનું પ્રદાન કરનાર છે, તે ધર્મ ઉત્તમ દેવ
સમાન છે તથા તે ધર્મ સુખપરંપરારૂપ અમૃતની નદી ઉત્પન્ન કરનાર ઉત્તમ પર્વત
સમાન છે. તેથી હે ભાઈ! તમે બીજી તુચ્છ મિથ્યા કલ્પનાઓ છોડીને તે ધર્મની
આરાધના કરો. ૧૯૫.
श्रुत्वा चेतसि धार्यते त्रिभुवने तेषां न काः संपदः
प्राप्तं पद्मरजः सुगन्धिभिरपि श्रान्तं जनं मोदयेत्
તેમને ત્રણ લોકમાં કઈ સંપત્તિઓ પ્રાપ્ત થતી નથી? યોગ્ય જ છે. ઉત્તમ જળ પીવા
અને તેમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થનારૂં સુખ તો દૂર રહો, પરંતુ તળાવના શીતળ