અને સુગંધી વાયુ દ્વારા પ્રાપ્ત થતી કમળની રજ પણ થાકેલા મનુષ્યને આનંદિત
બનાવી દે છે. ૧૯૬.
(वसंततिलका)
यत्पादपङ्कजरजोभिरपि प्रणामात्
लग्नैः शिरस्यमलबोधकलावतारः ।
भव्यात्मनां भवति तत्क्षणमेव मोक्षं
स श्रीगुरुर्दिशतु मे मुनिवीरनन्दी ।।१९७।।
અનુવાદ : નમસ્કાર કરતી વખતે મસ્તકમાં લાગેલ જેમના ચરણ-કમળોની
ધૂળથી ભવ્ય જીવોને તત્કાળ જ નિર્મળ સમ્યગ્જ્ઞાનરૂપ કળાની પ્રાપ્તિ થાય છે તે
શ્રીમુનિ વીરનન્દી ગુરુ મને મોક્ષ પ્રદાન કરો. ૧૯૭.
(वसंततिलका)
दत्तानन्दपारसंसृतिपथश्रान्तश्रमच्छेदकृत्
प्रायो दुर्लभमत्र कर्णपुटकैर्भव्यात्मभिः पीयताम् ।
निर्यातं मुनिपद्मनन्दिवदनप्रालेयरश्मेः परं
स्तोकं यद्यपि सारताधिकमिदं धर्मोपदेशामृतम् ।।१९८।।
इति धर्मोपदेशामृतं समाप्तम् ।।२।।
અનુવાદ : જે ધર્મોપદેશરૂપ અમૃત આનંદ આપનાર છે, અપાર સંસારના
માર્ગમાં થાકેલા મુસાફરનો પરિશ્રમ દૂર કરનાર છે તથા ઘણું દુર્લભ છે, તેને ભવ્ય
જીવ કાનોરૂપ અંજલિથી પીઓ અર્થાત્ કાનો દ્વારા તેનું શ્રવણ કરો. મુનિ
પદ્મનન્દિના મુખરૂપ ચંદ્રમાંથી નીકળેલ આ ઉપદેશામૃત જો કે અલ્પ છે તોપણ
શ્રેષ્ઠતાની અપેક્ષાએ તે અધિક છે.
વિશેષાર્થ : જેમ અમૃતનું પાન કરવાથી પથિકનો માર્ગનો થાક દૂર થઈ જાય છે
અને તેને અતિશય આનંદ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે આ ધર્મોપદેશ સાંભળવાથી ભવ્ય
જીવોના સંસાર પરિભ્રમણનું દુઃખ દૂર થઈ જાય છે અને તેમને અનંત સુખનો લાભ થાય
અધિકાર – ૧ઃ ધર્મોપદેશામૃત ]૯૭