श्रेयो नृपश्च कुरुगोत्रगृहप्रदीपः
सारक्रमे परमधर्मरथस्य चक्रे
જિનેન્દ્ર અને કુરુવંશરૂપ ગૃહના દીપક સમાન રાજા શ્રેયાંસ પણ જયવંત હો.
તેઓ દસ પ્રકારના કલ્પવૃક્ષોમાંથી પ્રાપ્ત થયેલી સામગ્રી દ્વારા યથેચ્છ ભોગ ભોગવતા થકા કાળ
નિર્ગમન કરતા હતા, કાળક્રમે જ્યારે તૃતીય કાળમાં પલ્યનો આઠમો ભાગ
અનુભવ થયો તેને યથાક્રમે ઉત્પન્ન થનાર પ્રતિશ્રુતિ આદિ ચૌદ કુલકરોએ દૂર કર્યો હતો. તેમાં
અંતિમ કુલકર નાભિરાજ હતા. પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ તેમના જ પુત્ર હતા. અત્યાર
સુધી જે વ્રતોનો પ્રચાર નહોતો તેને ભગવાન આદિનાથે પોતે જ પાંચ મહાવ્રતોનું ગ્રહણ કરીને
પ્રચલિત કર્યો. એ જ પ્રમાણે અત્યાર સુધી કોઈને દાનવિધિનું પણ પરિજ્ઞાન નહોતું. એ જ કારણે
છ માસના ઉપવાસ પરિપૂર્ણ કરીને ભગવાન આદિ જિનેન્દ્રને પારણાના નિમિત્તે બીજા પણ છ માસ
પર્યંત ઘૂમવું પડ્યું. અંતે રાજા શ્રેયાંસને જાતિસ્મરણ દ્વારા આહાર-દાનની વિધિનું પરિજ્ઞાન થયું.