આહારાદિ દાનોની વિધિનો પણ પ્રચાર શરૂ થઈ ગયો. આ રીતે ભગવાન આદિનાથે વ્રતોનો પ્રચાર
કરીને તથા શ્રેયાંસ રાજાએ દાનવિધિનો પણ પ્રચાર કરીને જગતનું કલ્યાણ કર્યું છે. તેથી ગ્રંથકાર
શ્રી પદ્મનંદી મુનિએ અહીં તીર્થના પ્રવર્તક સ્વરૂપે ભગવાન આદિ જિનેન્દ્રનું તથા દાનતીર્થના પ્રવર્તક
સ્વરૂપે શ્રેયાંસ રાજાનું સ્મરણ કર્યું છે. ૧.
भ्राम्यद्यशोभृतजगत्रितयस्य तस्य
त्रैलोक्यवन्दितपदेन जिनेश्वरेण
ધવળ યશ ત્રણે લોકમાં ફેલાયો તે શ્રેયાંસ રાજાનું કેટલું વર્ણન કરવું? ૨.
આકાશમાંથી તે રત્નવૃષ્ટિ થઈ કે જેના દ્વારા આ પૃથ્વી ‘વસુમતી (ધનવાળી)’ એવી
સાર્થક સંજ્ઞા પામી હતી; તે શ્રેયાંસ રાજા જયવંત હો.
જય શબ્દનો પ્રસાર (૪) સુગંધી વાયુનો સંચાર અને (૫) પુષ્પોની વર્ષા. (જુઓ તિ. પ.
ગાથા ૪, ૬૭૧ થી ૬૭૪). તે પ્રમાણે ભગવાન આદિનાથે જ્યારે રાજા શ્રેયાંસને ઘેર પ્રથમ
પારણું કર્યું હતું. ત્યારે તેના ઘરમાં પણ રત્નોનો વરસાદ વરસ્યો હતો. તેનો જ નિર્દેશ અહીં
શ્રી પદ્મનંદી મુનિએ કર્યો છે. ૩.