Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 18-20 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 107 of 378
PDF/HTML Page 133 of 404

 

background image
(वसंततिलका)
देवः स किं भवति यत्र विकारभावो
धर्मः स किं न करुणाङ्गिषु यत्र मुख्या
तत् किं तपो गुरुरथास्ति न यत्र बोधः
सा किं विभूतिरिह यत्र न पात्रदानम्
।।१८।।
અનુવાદ : જેમને ક્રોધાદિ વિકારભાવ વિદ્યમાન છે તે શું દેવ હોઈ શકે?
અર્થાત્ તે કદાપિ દેવ હોઈ શકે નહિ. જ્યાં પ્રાણીઓની બાબતમાં દયા મુખ્ય નથી
તેને શું ધર્મ કહી શકાય? કહી શકાય નહિ. જેમાં સમ્યગ્જ્ઞાન નથી તે શું તપ અને
ગુરુ હોઈ શકે છે? હોઈ શકે નહિ. જે સંપત્તિમાંથી પાત્રોને દાન આપવામાં આવતું
નથી તે સંપત્તિ શું સફળ હોઈ શકે? અર્થાત્ ન હોઈ શકે. ૧૮.
(वसंततिलका)
किं ते गुणाः किमिह तत्सुखमस्ति लोके
सा किं विभूतिरथ या न वशं प्रयाति
दानव्रतादिजनितो यदि मानवस्य
धर्मो जगत्त्रयवशीकरणैकमन्त्रः
।।१९।।
અનુવાદ : જો મનુષ્યની પાસે ત્રણે લોકને વશીભૂત કરવા માટે અદ્વિતીય
વશીકરણમંત્ર સમાન દાન અને વ્રત આદિથી ઉત્પન્ન થયેલ ધર્મ વિદ્યમાન હોય તો
એવા ક્યા ગુણ છે જે તેના વશ ન થઈ શકે? તે ક્યું સુખ છે જે તેને પ્રાપ્ત ન
થઈ શકે? અને એવી કઈ વિભૂતિ છે જે તેને આધીન ન થતી હોય? અર્થાત્ ધર્માત્મા
મનુષ્યને સર્વ પ્રકારના ગુણ, ઉત્તમ સુખ અને અનુપમ વિભૂતિ પણ સ્વયમેવ પ્રાપ્ત
થઈ જાય છે. ૧૯.
(वसंततिलका)
सत्पात्रदानजनितोन्नतपुण्यराशि-
रेकत्र वा परजने नरनाथलक्ष्मीः
आद्यात्परस्तदपि दुर्गत एव यस्मा-
दागामिकालफलदायि न तस्य किंचित्
।।२०।।
અધિકાર૨ઃ દાનનો ઉપદેશ ]૧૦૭