धर्मः स किं न करुणाङ्गिषु यत्र मुख्या
सा किं विभूतिरिह यत्र न पात्रदानम्
તેને શું ધર્મ કહી શકાય? કહી શકાય નહિ. જેમાં સમ્યગ્જ્ઞાન નથી તે શું તપ અને
ગુરુ હોઈ શકે છે? હોઈ શકે નહિ. જે સંપત્તિમાંથી પાત્રોને દાન આપવામાં આવતું
નથી તે સંપત્તિ શું સફળ હોઈ શકે? અર્થાત્ ન હોઈ શકે. ૧૮.
सा किं विभूतिरथ या न वशं प्रयाति
धर्मो जगत्त्रयवशीकरणैकमन्त्रः
એવા ક્યા ગુણ છે જે તેના વશ ન થઈ શકે? તે ક્યું સુખ છે જે તેને પ્રાપ્ત ન
થઈ શકે? અને એવી કઈ વિભૂતિ છે જે તેને આધીન ન થતી હોય? અર્થાત્ ધર્માત્મા
મનુષ્યને સર્વ પ્રકારના ગુણ, ઉત્તમ સુખ અને અનુપમ વિભૂતિ પણ સ્વયમેવ પ્રાપ્ત
થઈ જાય છે. ૧૯.
रेकत्र वा परजने नरनाथलक्ष्मीः
दागामिकालफलदायि न तस्य किंचित्