Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 23-25 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 109 of 378
PDF/HTML Page 135 of 404

 

background image
દેવ, ગુરુ અને મુનિની પૂજા અને દાનથી રહિત વૈભવ ન હોવો જોઈએ, કેમકે
એવો વૈભવ એક માત્ર બંધનું જ કારણ થાય છે. ૨૨.
(वसंततिलका)
भिक्षा वरं परिहृताखिलपापकारि-
कार्यानुबन्धविधुराश्रितचित्तवृत्तिः
सत्पात्रदानरहिता विततोग्रदुःख-
दुलँङ्घदुर्गतिकरी न पुनविभूतिः
।।२३।।
અનુવાદ : પાપ ઉત્પન્ન કરનાર સમસ્ત કાર્યોના સંબંધ રહિત એવી
ચિત્તવૃત્તિનો આશ્રય કરનારી ભિક્ષા ક્યાંય શ્રેષ્ઠ છે પણ સત્પાત્રદાન રહિત થઈને
વિપુલ અને તીવ્ર દુઃખોથી પરિપૂર્ણ દુર્લંઘ્ય નરકાદિરૂપ દુર્ગતિ કરનારી વિભૂતિ શ્રેષ્ઠ
નથી. ૨૩.
(वसंततिलका)
पूजा न चेज्जिनपतेः पदपङ्कजेषु
दानं न संयतजनाय च भक्ति पूर्वम्
नो दीयते किमु ततः सदनस्थितायाः
शीघ्रं जलाञ्जलिरगाधजले प्रविश्य
।।२४।।
અનુવાદ : જે ગૃહસ્થાવસ્થામાં જિનેન્દ્ર ભગવાનના ચરણકમળોની પૂજા
કરવામાં આવતી નથી તથા ભક્તિપૂર્વક સંયમીજનોને દાન આપવામાં આવતું નથી
તે ગૃહસ્થ અવસ્થાને અગાધ જળમાં પ્રવેશીને શું શીઘ્ર ડૂબાડી ન દેવી જોઈએ?
અર્થાત્ અવશ્ય ડૂબાડી દેવી જોઈએ. ૨૪.
(वसंततिलका)
कार्यं तपः परमिह भ्रमता भवाब्धौ
मानुष्यजन्मनि चिरादतिदुःखलब्धे
संपद्यते न तदणुव्रतिनापि भाव्यं
जायेत चेदहरहः किल पात्रदानम्
।।२५।।
અધિકાર૨ઃ દાનનો ઉપદેશ ]૧૦૯