Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 37-39 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 115 of 378
PDF/HTML Page 141 of 404

 

background image
રીતે ધનની રક્ષા માટે રાખવામાં આવેલ દાસ (મુનીમ આદિ) સ્વયં તે ધનનો ઉપયોગ કરી
શકતો નથી પણ કેવળ તેનું રક્ષણ જ કરે છે. બરાબર એ જ રીતે તે ધનવાન મનુષ્ય પણ
જ્યારે તે ધન પોતાના ઉપભોગમાં ખરચતો નથી અને પાત્રદાનાદિ પણ કરતો નથી ત્યારે
ભલા તે નોકરની અપેક્ષાએ આનામાં શું વિશેષતા રહે છે? કાંઈ પણ નહિ. ૩૬.
(वसंततिलका)
चैत्यालये च जिनसूरिबुधार्चने च
दाने च संयतजनस्य सुदुःखिते च
यच्चात्मनि स्वमुपयोगि तदेव नून-
मात्मीयमन्यदिह कस्यचिदन्यपुंसः
।।३७।।
અનુવાદ : લોકમાં જે ધન જિનાલયનું નિર્માણ કરાવવામાં, જિનદેવ, આચાર્ય
અને પંડિત અર્થાત્ ઉપાધ્યાયની પૂજામાં, સંયમી જનોને દાન આપવામાં, અતિશય
દુઃખી પ્રાણીઓને પણ દયાપૂર્વક દાન આપવામાં તથા પોતાના ઉપભોગમાં પણ કામ
આવે છે. તેને જ નિશ્ચયથી પોતાનું ધન સમજવું જોઈએ. તેનાથી વિપરીત જે ધન
આ ઉપર્યુક્ત કામોમાં ખરચવામાં આવતું નથી તેને કોઈ બીજા જ મનુષ્યનું ધન
સમજવું જોઈએ. ૩૭.
(वसंततिलका)
पुण्यक्षयात्क्षयमुपैति न दीयमाना
लक्ष्मीरतः कुरुत संततपात्रदानम्
कूपे न पश्यत जलं गृहिणः समन्ता-
दाकृष्यमाणमपि वर्धत एव नित्यम्
।।३८।।
અનુવાદ : સંપત્તિ પુણ્યનો ક્ષય થવાથી ક્ષય પામે છે, નહિ કે દાન કરવાથી
માટે હે શ્રાવકો! તમે નિરંતર પાત્રદાન કરો. શું તમે એ નથી જોતા કે કૂવામાંથી
ચારે તરફથી કાઢવામાં આવતું હોવા છતાં પણ પાણી હંમેશા વધતું જ રહે છે. ૩૮.
(वसंततिलका)
सर्वान् गुणानिह परत्र च हन्ति लोभः
सर्वस्य पूज्यजनपूजनहानिहेतुः
અધિકાર૨ઃ દાનનો ઉપદેશ ]૧૧૫