मेकत्र जन्मनि परं प्रथयन्ति लोकाः
કોઈ વિવાહાદિ કાર્યોમાં કરવામાં આવે તો લોકો કેવળ એક જન્મમાં જ તેના
દોષમાત્રને પ્રસિદ્ધ કરે છે.
દાનાદિથી ઉત્પન્ન થનાર પુણ્ય રહિત હોવાના કારણે સુખ પણ પ્રાપ્ત થતું નથી. આ રીતે જે
વ્યક્તિ ધાર્મિક કાર્યોમાં લોભ કરે છે તે બન્નેય લોકમાં પોતાનું અહિત કરે છે. એનાથી
વિપરીત જે મનુષ્ય કેવળ વિવાહાદિરૂપ ગૃહસ્થના કાર્યોમાં લોભ કરે છે તેવો માણસ કૃપણ
આદિ શબ્દો દ્વારા ફક્ત આ જન્મમાં જ તિરસ્કાર કરી શકે છે પરંતુ પરલોક તેનો સુખમય
જ વીતે છે. તેથી જ ગૃહસ્થના કાર્યોમાં કરવામાં આવતો લોભ એટલો નિન્દ્ય નથી જેટલો
ધાર્મિક કાર્યોમાં કરવામાં આવતો લોભ નિંદનીય છે. ૩૯.
रङ्कः कलङ्करहितो ऽप्यगृहीतनामा
शब्दः समुच्चलति नो जगति प्रकामम्
અર્થાત્ તેનો મનુષ્ય જન્મ લેવો વ્યર્થ થાય છે. કારણ કે તે લક્ષ્મી પ્રાપ્ત કરીને
પણ દરિદ્રી જેવો રહે છે તથા દોષોથી રહિત હોવા છતાં પણ યશસ્વી થઈ શકતો
નથી. ૪૦.
कर्मोपनीतविधिना विदधाति पूर्णम्