Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 40-41 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 116 of 378
PDF/HTML Page 142 of 404

 

background image
अन्यत्र तत्र विहिते ऽपि हि दोषमात्र-
मेकत्र जन्मनि परं प्रथयन्ति लोकाः
।।३९।।
અનુવાદ : પૂજ્ય પુરુષોની પૂજામાં બાધા પહોંચાડનાર લોભ આ લોકમાં
અને પરલોકમાં પણ બધાના બધા ગુણો નષ્ટ કરી દે છે. તે લોભ જો ગૃહસંબંધી
કોઈ વિવાહાદિ કાર્યોમાં કરવામાં આવે તો લોકો કેવળ એક જન્મમાં જ તેના
દોષમાત્રને પ્રસિદ્ધ કરે છે.
વિશેષાર્થ : જો કોઈ મનુષ્ય જિનપૂજન અને પાત્રદાનાદિના વિષયમાં લોભ કરે છે
તો એનાથી તેને આ જન્મમાં કીર્તિ આદિનો લાભ થતો નથી અને અન્ય ભવમાં પૂજન-
દાનાદિથી ઉત્પન્ન થનાર પુણ્ય રહિત હોવાના કારણે સુખ પણ પ્રાપ્ત થતું નથી. આ રીતે જે
વ્યક્તિ ધાર્મિક કાર્યોમાં લોભ કરે છે તે બન્નેય લોકમાં પોતાનું અહિત કરે છે. એનાથી
વિપરીત જે મનુષ્ય કેવળ વિવાહાદિરૂપ ગૃહસ્થના કાર્યોમાં લોભ કરે છે તેવો માણસ કૃપણ
આદિ શબ્દો દ્વારા ફક્ત આ જન્મમાં જ તિરસ્કાર કરી શકે છે પરંતુ પરલોક તેનો સુખમય
જ વીતે છે. તેથી જ ગૃહસ્થના કાર્યોમાં કરવામાં આવતો લોભ એટલો નિન્દ્ય નથી જેટલો
ધાર્મિક કાર્યોમાં કરવામાં આવતો લોભ નિંદનીય છે. ૩૯.
(वसंततिलका)
जातो ऽप्यजात इव स श्रियमाश्रितो ऽपि
रङ्कः कलङ्करहितो ऽप्यगृहीतनामा
कम्बोरिवाश्रितमृतेरपि यस्य पुंसः
शब्दः समुच्चलति नो जगति प्रकामम्
।।४०।।
અનુવાદ : મુત્યુ પામતાં શંખ સમાન જે પુરુષનું નામ સંસારમાં અતિશય
પ્રચલિત થતું નથી તે મનુષ્ય જન્મ લઈને પણ નહિ જન્મ્યા બરાબર થાય છે
અર્થાત્ તેનો મનુષ્ય જન્મ લેવો વ્યર્થ થાય છે. કારણ કે તે લક્ષ્મી પ્રાપ્ત કરીને
પણ દરિદ્રી જેવો રહે છે તથા દોષોથી રહિત હોવા છતાં પણ યશસ્વી થઈ શકતો
નથી. ૪૦.
(वसंततिलका)
श्वापि क्षितेरपि विभुर्जठरं स्वकीयं
कर्मोपनीतविधिना विदधाति पूर्णम्
૧૧૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ