Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 42-43 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 117 of 378
PDF/HTML Page 143 of 404

 

background image
किंतु प्रशस्यनृभवार्थविवेकीताना-
मेतत्फलं यदिह संततपात्रदानम्
।।४१।।
અનુવાદ : પોતાના કર્મ પ્રમાણે કુતરો પણ પોતાનું પેટ ભરે છે અને રાજા
પણ પોતાનું પેટ ભરે છે. પણ પ્રશંસનીય મનુષ્યભવ, ધન અને વિવેકબુદ્ધિ પ્રાપ્ત
કરવાનું અહીં એ જ પ્રયોજન છે કે નિરંતર પાત્રદાન આપવામાં આવે. ૪૧.
(वसंततिलका)
आयासकोटिभिरुपार्जितमङ्गजेभ्यो
यज्जीवितादपि निजाद्दयितं जनानाम्
वित्तस्य तस्य नियतं प्रविहाय दान-
मन्या विपत्तय इति प्रवदन्ति सन्तः
।।४२।।
અનુવાદ : કરોડો પરિશ્રમો દ્વારા કમાયેલું જે ધન પુત્રો અને પોતાના
જીવનથી પણ લોકોને અધિક પ્રિય હોય છે નિશ્ચયથી તે ધન માટે દાન સિવાયની
બીજી વિપત્તિઓ જ છે એમ સાધુપુરુષો કહે છે.
વિશેષાર્થ : મનુષ્ય ધન ઘણા કઠોર પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરે છે. તેથી તે તેમને પોતાના
પ્રાણોથી પણ અધિક પ્રિય જણાય છે. જો તેઓ તેનો સદુપયોગ પાત્રદાનાદિમાં કરે તો તે તેમને
ફરીથી પણ પ્રાપ્ત થઈ જાય છે. પણ એનાથી ઉલ્ટું જો તેનો દુરુપયોગ ખોટા વ્યસનાદિમાં કરવામાં
આવે અથવા દાન અને ભોગરહિત કેવળ તેનો જ સંચય જ કરવામાં આવે તો તે મનુષ્યોને
વિપત્તિજનક જ થાય છે. એનું કારણ એ છે કે સુખનું કારણ જે પુણ્ય છે તેનો જ સંચય તેમણે
પાત્રદાનાદિરૂપ સત્કાર્યો દ્વારા કદી કર્યો જ નથી. ૪૨.
(वसंततिलका)
नार्थः पदात्पदमपि व्रजति त्वदीयो
व्यावर्तते पितृववान्ननु बन्धुवर्गः
दीर्घे पथि प्रसवता भवतः सखैकं
पुण्यं भविष्यति ततः क्रियतां तदेव
।।४३।।
અનુવાદ : તમારું ધન પોતાના સ્થાનથી એક ડગલું પણ (તમારી સાથે) જતું
નથી, એ જ રીતે તમારા સગાસંબંધી સ્મશાન સુધી તમારી સાથે જઈને ત્યાંથી પાછા
અધિકાર૨ઃ દાનનો ઉપદેશ ]૧૧૭