Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 44-46 (2. Danopadeshana).

< Previous Page   Next Page >


Page 118 of 378
PDF/HTML Page 144 of 404

 

background image
આવી જાય છે. લાંબા માર્ગે પ્રવાસ કરતાં તમારા માટે એક પુણ્ય જ મિત્ર છે. તેથી
હે ભવ્ય જીવો! તમે તે જ પુણ્યનું ઉપાર્જન કરો. ૪૩.
(वसंततिलका)
सौभाग्यशौर्यसुखरूपविवेकिताद्या
विद्यावपुर्धनगृहाणि कुले च जन्म
संपद्यते ऽखिलमिदं किल पात्रदानात्
तस्मात् किमत्र सततं क्रियते न यत्नः
।।४४।।
અનુવાદ : સૌભાગ્ય, શૂરવીરપણું, સુખ, સુંદરતા, વિવેકબુદ્ધિ આદિ વિદ્યા,
શરીર, ધન અને મહેલ તથા ઉત્તમકુળમાં જન્મ થવો, આ બધું નિશ્ચયથી પાત્રદાન
દ્વારા જ પ્રાપ્ત થાય છે. તો પછી હે ભવ્ય જન! તમે તે પાત્રદાનની બાબતમાં નિરંતર
પ્રયત્ન કેમ નથી કરતા? ૪૪.
(वसंततिलका)
न्यासश्च सद्म च करग्रहणं च सूनो-
रर्थेन तावदिह कारयितव्यमास्ते
धर्माय दानमधिकाग्रतया करिष्ये
संचिन्तयन्नपि गृही मृतिमेति मूढः
।।४५।।
અનુવાદ : પહેલાં તો અહીં ધનમાંથી કાંઈક થાપણ મૂકવી છે (જમીનમાં
દાટવા વગેરે), મકાન બનાવવું છે અને પુત્રના લગ્ન કરવા છે, ત્યાર પછી જો
વધારે ધન થશે તો ધર્મના નિમિત્તે દાન કરીશ. આમ વિચાર કરતા કરતા જ
તે મૂર્ખ ગૃહસ્થ મરણ પામી જાય છે. ૪૫.
(वसंततिलका)
किं जीवितेन कृपणस्य नरस्य लोके
निर्भोगदानधनबन्धनबद्धमूर्तेः
तस्माद्वरं बलिभुगुन्नतभूरिवाग्मि-
र्व्याहूतकाककुल एव बलिं स भुङ्क्ते
।।४६।।
૧૧૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ