(वसंततिलका)
इष्टक्षयो यदिह ते यदनिष्टयोगः
पापेन तद्भवति जीव पुराकृतेन ।
शोकं करोषि किमु तस्य कुरु प्रणाशं
पापस्य तौ न भवतः पुरतोऽपि येन ।।१४।।
અનવાદઃ — હે જીવ! અહીં જે તને ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ
થાય છે તે તારા પૂર્વકૃત પાપના ઉદયથી થાય છે. તેથી તું શોક શા માટે કરે છે?
તે પાપનો જ નાશ કરવાનો પ્રયત્ન કર કે જેથી આગળ પણ તે બન્ને (ઇષ્ટ વિયોગ
અને અનિષ્ટસંયોગ) ન થઈ શકે. ૧૪.
(शार्दूलविक्रीडित)
नष्टे वस्तुनि शोभने ऽपि हि तदा शोकः समारभ्यते
तल्लाभो ऽथ यशोऽथ सौख्यमथ वा धर्मो ऽथ वा स्याद्यदि ।
यद्येको ऽपि न जायते कथमपि स्फारैः प्रयत्नैरपि
प्रायस्तत्र सुधीर्मुधा भवति कः शोकोग्ररक्षोवशः ।।१५।।
અનુવાદ : મનોહર વસ્તુનો નાશ થતાં જો શોક કરવાથી તેની પ્રાપ્તિ
થતી હોય કીર્તિ મળતી હોય, સુખ થતું હોય અથવા ધર્મ થતો હોય; તો તો
શોકનો પ્રારંભ કરવો બરાબર છે. પરંતુ જો અનેક પ્રયત્નો દ્વારા પણ તે
ચારેમાંથી ઘણું કરીને કોઈ એક પણ ઉત્પન્ન ન થતું હોય તો પછી ક્યો
બુદ્ધિમાન મનુષ્ય વ્યર્થ તે શોકરૂપી મહારાક્ષસને આધીન થાય? અર્થાત્ કોઈ
નહીં. ૧૫.
(वसंततिलका)
एकद्रुमे निशि वसन्ति यथा शकुन्ताः
प्रातः प्रयान्ति सहसा सकलासु दिक्षु ।
स्थित्वा कुले बत तथान्यकुलानि मृत्वा
लोकाः श्रयन्ति विदुषा खलु शोच्यते कः ।।१६।।
અધિકાર – ૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૨૯