Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 14-16 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 129 of 378
PDF/HTML Page 155 of 404

 

background image
(वसंततिलका)
इष्टक्षयो यदिह ते यदनिष्टयोगः
पापेन तद्भवति जीव पुराकृतेन
शोकं करोषि किमु तस्य कुरु प्रणाशं
पापस्य तौ न भवतः पुरतोऽपि येन
।।१४।।
અનવાદઃહે જીવ! અહીં જે તને ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ
થાય છે તે તારા પૂર્વકૃત પાપના ઉદયથી થાય છે. તેથી તું શોક શા માટે કરે છે?
તે પાપનો જ નાશ કરવાનો પ્રયત્ન કર કે જેથી આગળ પણ તે બન્ને (ઇષ્ટ વિયોગ
અને અનિષ્ટસંયોગ) ન થઈ શકે. ૧૪.
(शार्दूलविक्रीडित)
नष्टे वस्तुनि शोभने ऽपि हि तदा शोकः समारभ्यते
तल्लाभो ऽथ यशोऽथ सौख्यमथ वा धर्मो ऽथ वा स्याद्यदि
यद्येको ऽपि न जायते कथमपि स्फारैः प्रयत्नैरपि
प्रायस्तत्र सुधीर्मुधा भवति कः शोकोग्ररक्षोवशः
।।१५।।
અનુવાદ : મનોહર વસ્તુનો નાશ થતાં જો શોક કરવાથી તેની પ્રાપ્તિ
થતી હોય કીર્તિ મળતી હોય, સુખ થતું હોય અથવા ધર્મ થતો હોય; તો તો
શોકનો પ્રારંભ કરવો બરાબર છે. પરંતુ જો અનેક પ્રયત્નો દ્વારા પણ તે
ચારેમાંથી ઘણું કરીને કોઈ એક પણ ઉત્પન્ન ન થતું હોય તો પછી ક્યો
બુદ્ધિમાન મનુષ્ય વ્યર્થ તે શોકરૂપી મહારાક્ષસને આધીન થાય? અર્થાત્ કોઈ
નહીં. ૧૫.
(वसंततिलका)
एकद्रुमे निशि वसन्ति यथा शकुन्ताः
प्रातः प्रयान्ति सहसा सकलासु दिक्षु
स्थित्वा कुले बत तथान्यकुलानि मृत्वा
लोकाः श्रयन्ति विदुषा खलु शोच्यते कः
।।१६।।
અધિકાર૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૨૯