Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 17-18 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 130 of 378
PDF/HTML Page 156 of 404

 

background image
અનુવાદ : જેવી રીતે પક્ષીઓ રાત્રે કોઈ એક વૃક્ષ ઉપર નિવાસ કરે છે અને
પછી સવાર થતાં તેઓ સહસા સર્વ દિશાઓમાં ચાલ્યા જાય છે, ખેદ છે કે તેવી
જ રીતે મનુષ્ય પણ કોઈ એક કુળમાં સ્થિત રહીને પછી મૃત્યુ પામીને અન્ય કુળોનો
આશ્રય કરે છે. તેથી વિદ્વાન મનુષ્ય તેને માટે કાંઈ પણ શોક કરતા નથી. ૧૬.
(शार्दूलविक्रीडित)
दुःखव्यालसमाकुलं भववनं जाडयान्धकाराश्रितं
तस्मिन् दुर्गतिपल्लिपातिकुपथैर्भ्राम्यन्ति सर्वे ऽङ्गिनः
तन्मध्ये गुरुवाक्प्रदीपममलं ज्ञानप्रभाभासुरं
प्राप्यालोक्य च सत्पथं सुखपदं याति प्रबुद्धो ध्रुवम्
।।१७।।
અનુવાદ : જે સંસારરૂપી વન દુઃખોરૂપી સર્પોથી વ્યાપ્ત અને અજ્ઞાનરૂપી
અંધકારથી પરિપૂર્ણ છે તેમાં સર્વે પ્રાણી દુર્ગતિરૂપ ભીલોની વસ્તી તરફ લઈ જતા
ખોટા માર્ગે પરિભ્રમણ કરે છે. તે (સંસાર
વન)ની વચ્ચે વિવેકી પુરુષ જ્ઞાનરૂપી
જ્યોતિથી દેદીપ્યમાન નિર્મળ ગુરુના વચન (ઉપદેશ) રૂપી દીપક પામીને અને તેનાથી
સમીચીન માર્ગ જોઈને નિશ્ચયથી સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરી લે છે.
વિશેષાર્થ : જેવી રીતે કોઈ મુસાફર સર્પોથી ભરેલા અંધકારયુક્ત વનમાં ભૂલીને ખોટા
માર્ગે ભીલોની વસ્તીમાં જઈ પહોંચે છે અને કષ્ટ સહન કરે છે. જો તેને ઉક્ત વનમાં કોઈ પ્રકારે
દીવો પ્રાપ્ત થઈ જાય છે તો તે તેના સહારે યોગ્ય માર્ગની ખોજ કરીને તેના દ્વારા ઇષ્ટ સ્થાનમાં
પહોંચી જાય છે. બરાબર એવી જ રીતે આ સંસારી પ્રાણી પણ દુઃખોથી ભરેલા આ અજ્ઞાનમય
સંસારમાં મિથ્યાદર્શનાદિને વશીભૂત થઈને નરકાદિ દુર્ગતિઓમાં પહોંચે છે અને ત્યાં અનેક પ્રકારના
કષ્ટો સહે છે. તેને જ્યારે નિર્મળ સદ્ગુરુનો ઉપદેશ મળે છે ત્યારે તે તેમાંથી પ્રબુદ્ધ થઈને
મોક્ષમાર્ગનો આશ્રય કરે છે અને તેના દ્વારા મુક્તિપુરીમાં જઈ પહોંચે છે. ૧૭.
(वसंततिलका)
यैव स्वकर्मकृतकालकलात्र जन्तु-
स्तत्रैव याति मरणं न पुरो न पश्चात्
मूढास्तथापि हि मृते स्वजने विधाय
शोकं परं प्रचुरदुःखभुजो भवन्ति
।।१८।।
૧૩૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ