Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 19-20 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 131 of 378
PDF/HTML Page 157 of 404

 

background image
અનુવાદ : આ સંસારમાં પોતાના કર્મ દ્વારા જે મરણનો સમય નક્કી
કરવામાં આવ્યો છે તે જ સમયે પ્રાણી મરણ પામે છે, તે તેનાથી ન તો પહેલાં
મરે છે અને ન પછી, પણ છતાં ય મૂર્ખ મનુષ્યો પોતાના કોઈ સંબંધીનું મૃત્યુ
થતાં અતિશય શોક કરીને બહુ જ દુઃખ ભોગવે છે. ૧૮.
(शार्दूलविक्रीडित)
वृक्षाद्वृक्षमिवाण्डजा मधुलिहः पुष्पाच्च पुष्पं यथा
जीवा यान्ति भवाद्भवान्तरमिहाश्रोन्तं तथा संसृतौ
तज्जातेऽथ मृतेऽथ वा न हि मुदं शोकं न कस्मिन्नपि
प्रायः प्रारभते ऽधिगम्य मतिमानस्थैर्यमित्यङ्गिनाम्
।।१९।।
અનુવાદ : જેવી રીતે પક્ષી એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર તથા ભમરો એક
ફૂલથી બીજા ફૂલ ઉપર જાય છે તેવી જ રીતે અહીં સંસારમાં જીવ નિરંતર એક
પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય ઉપર્યુક્ત પ્રકારે
પ્રાણીઓની અસ્થિરતા જાણીને ઘણું કરીને કોઈ ઇષ્ટ સંબંધીનો જન્મ થતાં હર્ષ પામતા
નથી અને તેનું મૃત્યુ થતાં શોક પામતાં નથી. ૧૯.
(शार्दूलविक्रीडित)
भ्राम्यन् कालमनन्तमत्र जनने प्राप्नोति जीवो न वा
मानुष्यं यदि दुष्कुले तदघतः प्राप्तं पुनर्नश्यति
सज्जातावथ तत्र याति विलयं गर्भे ऽपि जन्मन्यपि
द्राग्बाल्ये ऽपि ततो ऽपि नो वृष इति प्राप्ते प्रयत्नो वरः
।।२०।।
અનુવાદ : આ જન્મ-મરણરૂપ સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતો
જીવ મનુષ્ય પર્યાય પામે છે અથવા નથી પણ પામતો અર્થાત્ તેને તે મનુષ્ય
પર્યાય ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. જો કદાચ તે મનુષ્યભવ પ્રાપ્ત પણ કરી
લે છે તો પણ નીચ કુળમાં ઉત્પન્ન થવાથી તેનો તે મનુષ્યભવ પાપાચરણપૂર્વક
જ નષ્ટ થઈ જાય છે. જો કોઈ પ્રકારે ઉત્તમ કુળમાં ય ઉત્પન્ન થયો તોપણ ત્યાં
તે કાં તો ગર્ભમાં જ મરી જાય છે અથવા જન્મ લેતી વખતે મરી જાય છે અથવા
બાલ્યાવસ્થામાં પણ શીધ્ર મરણ પામી જાય છે. તેથી પણ ધર્મની પ્રાપ્તિ થઈ
અધિકાર૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૩૧