શકતી નથી. પછી જો આયુષ્યની અધિકતામાં તે ધર્મ પ્રાપ્ત થઈ જાય તો તેના
વિષયમાં ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવો જોઈએ. ૨૦.
(मालिनी)
स्थिरं सदपि सर्वदा भृशमुदेत्यवस्थान्तरैः
प्रतिक्षणमिदं जगज्जलदकूटवन्नश्यति ।
तदत्र भवमाश्रिते मृतिमुपागते वा जने
प्रियेऽपि किमहो मुदा किमु शुचा प्रबुद्धात्मनः ।।२१।।
અનુવાદ : આ વિશ્વ દ્રવ્ય અપેક્ષાએ સ્થિર (ધ્રુવ) હોવા છતાં પણ પર્યાય-
અપેક્ષાએ પ્રત્યેક ક્ષણે મેઘપટલ સમાન અન્ય-અન્ય અવસ્થાઓથી ઉત્પન્ન પણ થાય છે
અને નષ્ટ પણ અવશ્ય થાય છે. આ કારણે અહીં જ્ઞાની જીવને કોઈ પ્રિયજનનો જન્મ
થતાં હર્ષ અને તેનું મરણ થતાં શોક કેમ થવો જોઈએ? અર્થાત્ ન થવો જોઈએ. ૨૧.
(शार्दूलविक्रीडित)
लङ्घ्यन्ते जलराशयः शिखरिणो देशास्तटिन्यो जनैः
सा वेला तु मृतेर्नृपक्ष्मचलनस्तोकापि देवैरपि ।
तत्कस्मिन्नपि संस्थिते सुखकरं श्रेयो विहाय ध्रुवं
कः सर्वत्र दुरन्तदुःखजनकं शोकं विदध्यात् सुधीः ।।२२।।
અનુવાદ : મનુષ્ય સમુદ્રો, પર્વતો, દેશો અને નદીઓને ઓળંગી શકે છે; પરંતુ
મૃત્યુના નિશ્ચિત સમયને દેવ પણ નિમેષ માત્ર (આંખના પલકારા બરાબર) જરા
પણ ઓળંગી શકતો નથી. આ કારણે કોઈ પણ ઇષ્ટ જનનું મૃત્યુ થતાં ક્યો બુદ્ધિમાન
મનુષ્ય સુખદાયક કલ્યાણમાર્ગ છોડીને સર્વત્ર અપાર દુઃખ ઉત્પન્ન કરનાર શોક કરે?
અર્થાત્ કોઈ પણ બુદ્ધિમાન્ શોક કરતો નથી. ૨૨.
(शार्दूलविक्रीडित)
आक्रन्दं कुरुते यदत्र जनता नष्टे निजे मानुषे
जाते यच्च मुदं तदुन्नतधियो जल्पन्ति वातूलताम् ।
यज्जाडयात्कृतदुष्टचेष्टितभवत्कर्मप्रबन्धोदयात्
मृत्यूत्पत्तिपरम्परामयमिदं सर्वं जगत्सर्वदा ।।२३।।
૧૩૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ