Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 26-27 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 134 of 378
PDF/HTML Page 160 of 404

 

background image
અનુવાદ : જેવી રીતે ચન્દ્રમા આકાશમાં નિરંતર ચક્કર લગાવ્યા કરે છે તેવી
જ રીતે આ પ્રાણી સદા સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે; જેમ ચન્દ્રમા ઉદય, અસ્ત,
અને કળાઓની હાનિ
વૃદ્ધિને પામ્યા કરે છે તેવી જ રીતે સંસારી પ્રાણી પણ જન્મ
મરણ અને સંપત્તિની હાનિ-વૃદ્ધિને પામ્યા કરે છે; જેમ ચંદ્ર મધ્યમાં કલુષિત (કાળો)
રહે છે તેવી જ રીતે સંસારી પ્રાણીનું હૃદય પણ પાપથી કલુષિત રહે છે તથા જેમ
ચંદ્ર એક રાશિ (મીન-મેષ વગેરે)થી બીજી રાશિને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે સંસારી
પ્રાણી પણ એક શરીર છોડીને બીજા શરીરનું ગ્રહણ કર્યા કરે છે. આવી સ્થિતિ હોતાં
સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિમાં જીવે હર્ષ અને વિષાદ શા માટે કરવો જોઈએ?
અર્થાત્ ન કરવા જોઈએ . ૨૫.
(मालिनी)
तडिदिव चलमेतत्पुत्रदारादि सर्वं
किमिति तदभिघाते खिद्यते बुद्धिमद्भिः
स्थितिजननविनाशं नोष्णतेवानलस्य
व्यभिचरति कदाचित्सर्वभावेषु नूनम्
।।२६।।
અનુવાદ : આ બધા પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ જો વિજળી સમાન ચંચળ
અર્થાત્ ક્ષણિક છે તો પછી તેમનો વિનાશ થતાં બુદ્ધિમાન મનુષ્ય ખેદખિન્ન કેમ થાય
છે? અર્થાત્ તેમનો નશ્વર સ્વભાવ જાણીને તેમણે ખેદખિન્ન ન થવું જોઈએ. જેવી
રીતે ઉષ્ણતા અગ્નિનો વ્યભિચાર કરતી નથી અર્થાત્ તે સદા અગ્નિ હોય ત્યાં હોય
છે અને તેના અભાવમાં કદી પણ નથી હોતી; બરાબર એવી જ રીતે સ્થિતિ (ધ્રૌવ્ય),
ઉત્પાદ અને વ્યય પણ નિશ્ચયથી પદાર્થો હોય ત્યાં અવશ્ય હોય છે અને તેમના
અભાવમાં કદી પણ હોતા નથી. ૨૬.
(मालिनी)
प्रियजनमृतिशोकः सेव्यमानो ऽतिमात्रं
जनयति तदसातं कर्म यच्चाग्रतो ऽपि
प्रसरति शतशाखं देहिनि क्षेत्र उप्तं
वट इव तनुबीजं त्यज्यतां स प्रयत्नात्
।।२७।।
૧૩૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ