પ્રાણીને સેંકડો પ્રકારે દુઃખ આપે છે. જેમ યોગ્ય ભૂમિમાં વાવવામાં આવેલું નાનકડું
વડનું બીજ પણ સેંકડો શાખાઓ સંયુક્ત વડવૃક્ષ રૂપે વિસ્તાર પામે છે તેથી જ આવો
અહિતકારી તે શોક પ્રયત્નપૂર્વક છોડી દેવો જોઈએ. ૨૭.
મરણ અનિવાર્ય છે. છતાં એક પ્રાણી બીજા પ્રાણીનું મૃત્યુ થતાં શોક કેમ કરે છે?
અર્થાત્ જો બધા સંસારી પ્રાણીઓનું મરણ અવશ્ય થનાર છે તો એક બીજા મરતાં
શોક કરવો ઉચિત નથી. ૨૮.
જેનું મરણ ત્રણે કાળે સંભવ ન હોય તે જો કોઈ પ્રિયજનનું મરણ થતાં શોક કરે
તો એમાં તેની શોભા છે. પરંતુ જે મનુષ્ય સમયાનુસાર પોતે જ મરણને પ્રાપ્ત થાય
છે તેનું બીજા કોઈ પ્રાણીનું મરણ થતાં શોકાકુળ થવું અશોભનીય છે. અભિપ્રાય
એ છે કે જો બધા સંસારી પ્રાણી સમય અનુસાર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો એકે
બીજાનું મૃત્યુ થતાં શોક કરવો ઉચિત નથી. ૨૯.
मनुभवति च पातं सोऽपि देवो दिनेशः