यदि किल दिनमध्ये तत्र केषां नराणां
वसति हृदि विषादः सत्स्ववस्थान्तरेषु ।।३०।।
અનુવાદ : જે સૂર્યદેવ એક જ દિવસમાં પ્રાતઃકાળે ઉદયનો અનુભવ કરે છે
અને ત્યાર પછી મધ્યાહ્નમાં ખૂબ ઊંચે ચઢીને લક્ષ્મીનો અનુભવ કરે છે તે પણ જ્યારે
સાયંકાળમાં નિશ્ચયથી અસ્ત પામે છે ત્યારે જન્મમરણાદિ – સ્વરૂપ ભિન્ન-ભિન્ન
અવસ્થાઓ થતાં ક્યા મનુષ્યના હૃદયમાં વિષાદ રહે છે? અર્થાત્ એવી દશામાં કોઈએ
પણ વિષાદ ન કરવો જોઈએ. ૩૦.
(वसंततिलका)
आकाश एव शशिसूर्यमरुत्खगाद्याः
भूपृष्ठ एव शकटप्रमुखाश्चरन्ति ।
मीनादयश्च जल एव यमस्तु याति
सर्वत्र कुत्र भविनां भवति प्रयत्नः ।।३१।।
અનુવાદ : ચંદ્ર, સૂર્ય, વાયુ અને પક્ષી આદિ આકાશમાં જ ગમન કરે છે;
ગાડી આદિનું આવાગમન પૃથ્વી ઉપર જ થાય છે તથા મત્સ્યાદિ જળમાં જ સંચાર
કરે છે. પરંતુ યમ(મૃત્યુ) આકાશ, પૃથ્વી અને જળમાં બધા સ્થળે પહોંચે છે. તેથી
સંસારી પ્રાણીઓનો પ્રયત્ન ક્યાં થઈ શકે? અર્થાત્ કાળ જો બધા સંસારી પ્રાણીઓનો
કોળિયો કરી જતો હોય તો તેનાથી બચવા માટે કરવામાં આવતો કોઈ પણ પ્રાણીનો
પ્રયત્ન સફળ થઈ શકતો નથી. ૩૧.
(शार्दूलविक्रीडित)
किं देवः किमु देवता किमगदो विद्यास्ति किं किं मणिः
किं मन्त्रं किमुताश्रयः किमु सुहृत् किं वा स गन्धो ऽस्ति सः ।
अन्ये वा किमु भूपतिप्रभृतयः सन्त्यत्र लोकत्रये
यैः सर्वैरपि देहिनः स्वसमये कर्मोदितं वार्यते ।।३२।।
અનુવાદ : અહીં ત્રણે લોકમાં શું દેવ, શું દેવી, શું ઔષધિ, શું વિદ્યા, શું
મણિ, શું મન્ત્ર, શું આશ્રય, શું મિત્ર, શું તે સુગંધ અથવા શું અન્ય રાજા આદિ
પણ એવા શક્તિશાળી છે જે બધાય પોતાના ઉદય પામેલા કર્મને રોકી શકે? અર્થાત્
૧૩૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ