Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 36-37 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 138 of 378
PDF/HTML Page 164 of 404

 

background image
जातः संसृतिकानने जनतरुः कालोग्रदावानल
व्याप्तश्चेन्न भवेत्तदा बत बुधैरन्यत्किमालोक्यते ।।३५।।
અનુવાદ : સંસારરૂપી વનમાં ઉત્પન્ન થયેલ જે મનુષ્યરૂપી વૃક્ષ
સંપત્તિરૂપી સુંદર લત્તા સહિત સ્ત્રીરૂપી શોભાયમાન વેલોથી વીંટાળાયેલ પુત્ર-
પૌત્રાદિરૂપી મનોહર પર્ણોથી રમણીય તથા વિષયભોગજનિત સુખ જેવા ફળોથી
પરિપૂર્ણ હોય છે; તે જો મૃત્યુરૂપી તીવ્ર દાવાનળથી વ્યાપ્ત ન હોત તો વિદ્વાનો
બીજું શું દેખે? અર્થાત્ તે મનુષ્યરૂપી વૃક્ષ તે કાળરૂપી દાવાનળથી નષ્ટ થાય
જ છે. આ જોવા છતાં પણ વિદ્વાનો આત્મહિતમાં પ્રવૃત્ત થતા નથી એ ખેદની
વાત છે. ૩૫.
(शिखरिणी)
वाञ्छन्त्येव सुखं तदत्र विधिना दत्तं परं प्राप्यते
नूनं मृत्युमुपाश्रयन्ति मनुजास्तत्राप्यतो बिभ्यति
इत्थं कामभयप्रसक्त हृदया मोहान्मुधैव ध्रुवं
दुःखोर्मिप्रचुरे पतन्ति कुधियः संसारघोरार्णवे
।।३६।।
અનુવાદ : સંસારમાં મનુષ્ય સુખની ઇચ્છા કરે જ છે, પરંતુ તે તેમને ફક્ત
કર્મ દ્વારા અપાયેલ પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય નિશ્ચયથી મૃત્યુ તો પામે છે પરંતુ તેનાથી
ડરે છે. આ રીતે તે દુર્બુદ્ધિ મનુષ્યો હૃદયમાં ઇચ્છા (સુખની અભિલાષા) અને ભય
(મૃત્યુનો ભય) ધારણ કરતાં થકાં અજ્ઞાનથી અનેક દુઃખોરૂપી લહેરોવાળા સંસારરૂપી
ભયાનક સમુદ્રમાં નકામા જ પડે છે. ૩૬.
(मालिनी)
स्वसुखपयसि दीव्यन्मृत्युकैवर्तहस्त-
प्रसृतधनजरोरुप्राल्लसज्जालमध्ये
निकटमपि न पश्यत्यापदां चक्रमुग्रं
भवसरसि वराको लोकमीनौघ एषः
।।३७।।
અનુવાદ : આ બિચારો મનુષ્યોરૂપી માછલીઓના સમૂહ સંસારરૂપી
સરોવરમાં પોતાના સુખરૂપ જળમાં ક્રીડા કરતો થકો મૃત્યુરૂપી માછીમારના હાથે
૧૩૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ