પરિપૂર્ણ છે; અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક ચિંતા),
રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી.
પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં છે કે વિદ્વાન્ મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા
શોધે છે. ૩૯.
प्राप्तास्ते विषया मनोहरतराः स्वर्गे ऽपि ये दुर्लभाः
श्लिष्टं भोज्यमिवातिरम्यमपि धिग्मुक्ति : परं मृग्यताम्
તે અતિશય મનોહર વિષયો પણ પ્રાપ્ત કરી લીધા છે. છતાં પણ જો પાછળ
મૃત્યુ આવવાનું હોય તો આ બધું વિષયુક્ત આહાર સમાન અત્યંત રમણીય હોવા
છતાં પણ ધિક્કારવા યોગ્ય છે. તેથી તું એક માત્ર મુક્તિની ખોજ કર. ૪૦.
क्रुद्धो धावति नैव सन्मुखमितो यत्नो विधेयो बुधैः
મારવાની ઇચ્છાથી સામે દોડતો નથી ત્યાં સુધી જ કાર્ય સિદ્ધ કરી શકે છે. તેથી
વિદ્વાન્ પુરુષોએ તે યમથી પોતાની રક્ષા કરવા માટે અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ માટે જ
પ્રયત્ન કરવો જોઈએ. ૪૧.