Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 40-41 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 140 of 378
PDF/HTML Page 166 of 404

 

background image
સહિત છે અર્થાત્ જે વિનશ્વર છે; જે રોગાદિ દોષો, સાત ધાતુઓ અને મળથી
પરિપૂર્ણ છે; અને જે નષ્ટ થવાનું છે, તેની સાથે જો આધિ (માનસિક ચિંતા),
રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આદિ રહેતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી.
પરંતુ આશ્ચર્ય તો કેવળ એમાં છે કે વિદ્વાન્ મનુષ્ય પણ તે શરીરમાં સ્થિરતા
શોધે છે. ૩૯.
(शार्दूलविक्रीडित)
लब्धा श्रीरिह वाञ्छिता वसुमती भुक्ता समुद्रावधिः
प्राप्तास्ते विषया मनोहरतराः स्वर्गे ऽपि ये दुर्लभाः
पश्चाच्चेन्मृतिरागमिष्यति ततस्तत्सर्वमेतद्विषा-
श्लिष्टं भोज्यमिवातिरम्यमपि धिग्मुक्ति : परं मृग्यताम्
।।४०।।
અનુવાદ : હે આત્મા! તેં ઇચ્છિત લક્ષ્મી પ્રાપ્ત કરી લીધી છે, સમુદ્ર
પર્યંત પૃથ્વી પણ ભોગવી લીધી છે અને જે વિષયો સ્વર્ગમાં પણ દુર્લભ છે
તે અતિશય મનોહર વિષયો પણ પ્રાપ્ત કરી લીધા છે. છતાં પણ જો પાછળ
મૃત્યુ આવવાનું હોય તો આ બધું વિષયુક્ત આહાર સમાન અત્યંત રમણીય હોવા
છતાં પણ ધિક્કારવા યોગ્ય છે. તેથી તું એક માત્ર મુક્તિની ખોજ કર. ૪૦.
(शार्दूलविक्रीडित)
युद्धे तावदलं रथेभतुरगा वाराश्च द्रप्ता भृशं
मन्त्रः शौर्यमसिश्च तावदतुलाः कार्यस्य संसाधकाः
राज्ञो ऽपि क्षुधितोऽपि निर्दयमना यावज्जिघत्सुर्यमः
क्रुद्धो धावति नैव सन्मुखमितो यत्नो विधेयो बुधैः
।।४१।।
અનુવાદ : યુદ્ધમાં રાજાના રથ, હાથી, ઘોડા, અભિમાની સુભટો, મંત્ર, શૌર્ય
અને તરવાર; આ બધી અનુપમ સામગ્રી દુષ્ટ, ભૂખ્યો યમરાજ (મૃત્યુ) ક્રોધિત થઈને
મારવાની ઇચ્છાથી સામે દોડતો નથી ત્યાં સુધી જ કાર્ય સિદ્ધ કરી શકે છે. તેથી
વિદ્વાન્ પુરુષોએ તે યમથી પોતાની રક્ષા કરવા માટે અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ માટે જ
પ્રયત્ન કરવો જોઈએ. ૪૧.
૧૪૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ