(शार्दूलविक्रीडित)
दत्तं नौषधमस्य नैव कथितः कस्याप्ययं मन्त्रिणो
नो कुर्याच्छुचमेवमुन्नतमतिर्लोकान्तरस्थे निजे ।
यत्ना यान्ति यतो ऽङ्गिनः शिथिलतां सर्वे मृतेः संनिधौ
बन्धाश्चर्मविनिर्मिताः परिलसद्वर्षाम्बुसिक्ता इव ।।४८।।
અનુવાદ : કોઈ પ્રિય જન મરણ પામતાં વિવેકી મનુષ્ય ‘આને દવા આપવામાં
ન આવી અથવા આના વિષયમાં કોઈ મંત્ર જાણનારને ન કહેવામાં આવ્યું’ એ પ્રકારે
શોક કરતા નથી. કારણ કે મૃત્યુ પાસે આવતાં પ્રાણીઓના બધા પ્રયત્નો એવી રીતે
શિથિલ થઈ જાય છે જેમ ચામડાના બનાવેલા બંધન વરસાદના પાણીમાં ભીંજાઈને
શિથિલ થઈ જાય છે. અર્થાત્ મૃત્યુથી બચવા માટે કરવામાં આવતો પ્રયત્ન કદી
કોઈનો સફળ થતો નથી. ૪૮.
(शिखरिणी)
स्वकर्मव्याघ्रेण स्फु रितनिजकालादिमहसा
समाघ्रातः साक्षाच्छरणरहिते संसृतिवने ।
प्रिया मे पुत्रा मे द्रविणमपि मे मे गृहमिदं
वदन्नेवं मे मे पशुरिव जनो याति मरणम् ।।४९।।
અનુવાદ : જે સંસારરૂપી વન રક્ષકો રહિત છે તેમાં પોતાના ઉદયકાળ
આદિરૂપ પરાક્રમથી સંયુક્ત એવા કર્મરૂપી વાઘ દ્વારા ગ્રહાયેલ આ મનુષ્યરૂપી પશુ
‘આ પ્રિયા મારી છે, આ પુત્ર મારા છે. આ દ્રવ્ય મારું છે, અને આ ઘર પણ મારું
છે.’ આમ ‘મારું મારું કહેતો મરણ પામી જાય છે.
વિશેષાર્થ : જેવી રીતે વનમાં ગંધ પામીને ચિત્તા દ્વારા પકડાયેલ બકરા વગેરે પશુનું
રક્ષણ કરનાર ત્યાં કોઈ નથી — તે ‘મેં મેં’ શબ્દ કરતા થકા ત્યાં જ મરણ પામે છે – તેવી જ રીતે
આ સંસારમાં કર્મને આધીન થયેલ પ્રાણીનું પણ મૃત્યુથી રક્ષણ કરનાર કોઈ નથી. છતાં પણ મોહને
વશીભૂત થઈને આ મનુષ્ય તે મૃત્યુ તરફ ધ્યાન ન દેતાં જે સ્ત્રી – પુત્રાદિ બાહ્ય પદાર્થ કદી પોતાના
થઈ શકતા નથી તેમનામાં મમત્વ બુદ્ધિ રાખીને ‘મારા મારા’ (આ મારી સ્ત્રી છે, આ પુત્ર મારા
છે આદિ) કરતો થકો નકામો સંક્લેશ પામે છે. ૪૯.
૧૪૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ