Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 50-52 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 145 of 378
PDF/HTML Page 171 of 404

 

background image
(वसन्ततिलका)
दिनानि खण्डानि गुरूणि मृत्युना
विहन्यमानस्य निजायुषो भृशम्
पतन्ति पश्यन्नपि नित्यमग्रतः स्थिर-
त्वमात्यन्यभिमन्यते जडः
।।५०।।
અનુવાદ : આ અજ્ઞાની પ્રાણી મૃત્યુ દ્વારા ખંડિત કરાતા પોતાના આયુષ્યના
દિવસો રૂપી દીર્ઘ ટૂકડાઓને સદા પોતાની સામે પડતા જોવા છતાં પણ પોતાને સ્થિર
માને છે. ૫૦.
(शार्दूलविक्रीडित)
कालेन प्रलयं व्रजन्ति नियतं ते ऽपीन्द्रचन्द्रादयः
का वार्तान्यजनस्य कीटस
द्रशो ऽशक्तेरदीर्घायुषः
तस्मान्मृत्युमुपागते प्रियतमे मोहं मुधा मा कथाः
कालः क्रीडति नात्र येन सहसा तत्किंचिदन्विष्यताम्
।।५१।।
અનુવાદ : જો તે ઇન્દ્ર અને ચંદ્ર આદિ પણ સમય પામીને નિશ્ચયથી મરણ
પામે છે તો ભલા કીડા જેવા નિર્બળ અને અલ્પ આયુવાળા અન્ય મનુષ્યોની તો
વાત જ શી? અર્થાત્ તે તો નિઃસંદેહ મરણ પામશે જ તેથી હે ભવ્ય જીવ! કોઈ
અત્યંત પ્રિય મનુષ્ય મરણ પામતાં વ્યર્થ મોહ ન કર. પરંતુ કોઈ એવો ઉપાય શોધ
કે જેથી તે કાળ (મૃત્યુ) સહસા અહીં ક્રીડા ન કરી શકે. ૫૧.
(शार्दूलविक्रीडित)
संयोगो यदि विप्रयोगविधिना चेज्जन्म तन्मृत्युना
सम्पच्चेद्विपदा सुखं यदि तदा दुःखेन भाव्यं ध्रुवम्
संसारेऽत्र मुहुर्मुहुर्बहुविधावस्थान्तरप्रोल्लसद्-
वेषान्यत्वनटीकृताङ्गिनि सतः शोको न हर्षः क्वचित्
।।५२।।
અનુવાદ : જ્યાં પ્રાણી વારંવાર અનેક પ્રકારની અવસ્થાઓરૂપ વેશોની
ભિન્નતાથી નટ સમાન આચરણ કરે છે એવા તે સંસારમાં જો ઇષ્ટનો સંયોગ
અધિકાર૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૪૫