Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 53-54 (3. Anitya Panchashat).

< Previous Page   Next Page >


Page 146 of 378
PDF/HTML Page 172 of 404

 

background image
થાય છે તો વિયોગ પણ તેનો અવશ્ય થવો જોઈએ, જો જન્મ છે તો મૃત્યુ
પણ અવશ્ય હોવું જોઈએ, જો સંપત્તિ છે તો વિપત્તિ પણ અવશ્ય હોવી જોઈએ,
તથા જો સુખ છે તો દુઃખ પણ અવશ્ય હોવું જોઈએ. તેથી સજ્જન મનુષ્યે
ઇષ્ટસંયોગાદિ થતાં તો હર્ષ અને ઇષ્ટવિયોગાદિ થતાં શોક પણ ન કરવો જોઈએ.
વિશેષાર્થ : જેમ નટ (નાટકનું પાત્ર) આવશ્યકતા પ્રમાણે રાજા અને રંક આદિ
અનેક પ્રકારના વેશોનું ગ્રહણ કરે છે; પરંતુ તે સંયોગ અને વિયોગ, જન્મ અને મરણ,
સંપત્તિ અને વિપત્તિ તથા સુખ અને દુઃખ આદિમાં અંતઃકરણપૂર્વક હર્ષ અને વિષાદ પામતો
નથી. કારણ કે તે પોતાની યથાર્થ અવસ્થા અને ગ્રહણ કરેલા તે કૃત્રિમ વેશોમાં તફાવત
સમજે છે. તેવી જ રીતે વિવેકી મનુષ્ય પણ ઉપર્યુક્ત સંયોગ
વિયોગ અને નર-નારકાદિ
અવસ્થાઓમાં કદી હર્ષ અને વિષાદ પામતો નથી. કારણ કે તે સમજે છે કે સંસારનું સ્વરૂપ
જ જન્મ
મરણ છે. એમાં પૂર્વાેપાર્જિત કર્મ અનુસાર પ્રાણીઓને કદી ઇષ્ટનો સંયોગ અને કદી
તેનો વિયોગ પણ અવશ્ય થાય છે. સંપત્તિ અને વિપત્તિ કદી કોઈના નિયત નથી. જો મનુષ્ય
કોઈ વાર સંપત્તિશાળી થાય છે તો કોઈ વાર તે અશુભ કર્મના ઉદયથી વિપત્તિગ્રસ્ત પણ
જોવામાં આવે છે. તેથી તેમાં હર્ષ અને વિષાદ પામવો બુદ્ધિમત્તા નથી. ૫૨.
(शार्दूलविक्रीडित)
लोकाश्चेतसि चिन्तयन्त्यनुदिनं कल्याणमेवात्मनः
कुर्यात्सा भवितव्यतागतवती तत्तत्र यद्रोचते
मोहोल्लासवशादतिप्रसरतो हित्वा विकल्पान् बहून्
रागद्वेषविषोज्झितैरिति सदा सद्भिः सुखं स्थीयताम्
।।५३।।
અનુવાદ : મનુષ્ય મનમાં પ્રતિદિન પોતાના કલ્યાણનો જ વિચાર કરે છે,
પરંતુ આવેલી ભવિતવ્યતા (દૈવ) તે જ કરે છે કે જે તેને રુચે છે. તેથી સજ્જન પુરુષ
રાગ-દ્વેષરૂપી વિષ રહિત થઈને મોહના પ્રભાવથી અતિશય વિસ્તાર પામતા અનેક
વિકલ્પોનો ત્યાગ કરીને સદા સુખપૂર્વક સ્થિતિ કરો. ૫૩.
(वसंततिलका)
लोका गृहप्रियतमासुतजीवितादि
वाताहतध्वजपटाग्रचलं समस्तम्
૧૪૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ