व्यामोहमत्र परिहृत्य धनादिमित्रे
धर्मे मतिं कुरुत किं बहुभिर्वचोभिः ।।५४।।
અનુવાદ : હે ભવ્ય જનો! અધિક કહેવાથી શું લાભ? જે ગૃહ, સ્ત્રી,
પુત્ર અને જીવનાદિ સર્વ પવનથી પ્રતાડિત ધજાના વસ્ત્રના છેડા સમાન ચંચળ છે
તેમના વિષયમાં તથા ધન અને મિત્ર આદિના વિષયમાં મોહ છોડીને ધર્મમાં
બુદ્ધિ જોડો. ૫૪.
(वसंततिलका)
पुत्रादिशोकशिखिशान्तिकरी यतीन्द्र-
श्रीपद्मनन्दिवदनाम्बुधरप्रसूतिः ।
सद्बोधसस्यजननी जयतादनित्य-
पञ्चाशदुन्नतधियाममृतैक वृष्टिः ।।५५।।
इति अनित्यपञ्चाशत् ।।३।।
અનુવાદ : શ્રી પદ્મનન્દિ મુનીન્દ્રના મુખરૂપી મેઘથી ઉત્પન્ન થયેલ જે
અનિત્યપંચાશત્ (પચાસ શ્લોકમય અનિત્યતાનું પ્રકરણ) રૂપ અદ્વિતીય અમૂતની વર્ષા
વિદ્વાનોને માટે પુત્રાદિના શોકરૂપી અગ્નિને શાન્ત કરીને સમ્યગ્જ્ઞાનરૂપ ધાન્ય ઉત્પન્ન
કરે છે તે જયવંત હો. ૫૫.
આ રીતે અનિત્યપંચાશત્ સમાપ્ત થયું. ૩.
અધિકાર – ૩ઃ અનિત્ય પંચાશત્ ]૧૪૭