Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 4-7 (4. Aekatvasaptati).

< Previous Page   Next Page >


Page 149 of 378
PDF/HTML Page 175 of 404

 

background image
સ્પષ્ટ છે અને સમસ્ત વસ્તુઓમાં શ્રેષ્ઠ છે તે ચેતન આત્માને નમસ્કાર હો. ૩.
(अनुष्टुभ् )
चित्तत्वं तत्प्रतिप्राणिदेह एव व्यवस्थितम्
तमश्छन्ना न जानन्ति भ्रमन्ति च बहिर्बहिः ।।।।
અનુવાદ : તે ચૈતન્ય તત્ત્વ પ્રત્યેક પ્રાણીના શરીરમાં જ સ્થિત છે. પરંતુ
અજ્ઞાનરૂપ અંધકારથી વ્યાપ્ત જીવ તેને જાણતા નથી, તેથી તેઓ બહારને બહાર
ઘૂમે છે અર્થાત્ વિષયભોગજનિત સુખને જ વાસ્તવિક સુખ માનીને તેને પ્રાપ્ત
કરવા માટે જ પ્રયત્નશીલ રહે છે. ૪.
(अनुष्टुभ् )
भ्रमन्तो ऽपि सदा शास्त्रजाले महति केचन
न विदन्ति परं तत्त्वं दारुणीव हुताशनम् ।।।।
અનુવાદ : કેટલાય મનુષ્યો સદા મહાન્ શાસ્ત્રસમૂહમાં પરિભ્રમણ કરતા
હોવા છતાં પણ, અર્થાત્ અનેક શાસ્ત્રોનું પરિશીલન કરતા હોવા છતાં તે ઉત્કૃષ્ટ
આત્મતત્ત્વને લાકડામાં શક્તિરૂપે વિદ્યમાન અગ્નિ સમાન જાણતા નથી. ૫.
(अनुष्टुभ् )
केचित्केनापि कारुण्यात्कथ्यमानमपि स्फु टम्
न मन्यन्ते न शृण्वन्ति महामोहमलीमसाः ।।।।
અનુવાદ : જો કોઈ દયાથી પ્રેરાઈને તે ઉત્કૃષ્ટ તત્ત્વનું સ્પષ્ટપણે કથન કરે
છે તો પણ કેટલાય પ્રાણીઓ મહામોહથી મલિન થઈને તેને માનતા ય નથી અને
સાંભળતા ય નથી. ૬.
(अनुष्टुभ् )
भूरिधर्मात्मकं तत्त्वं दुःश्रुतेर्मन्दबुद्धयः
जात्यन्धहस्तिरूपेण ज्ञात्वा नश्यन्ति केचन ।।।।
અનુવાદ : જેમ જન્માંધ મનુષ્ય હાથીનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ કરી શકતો
અધિકાર૪ઃ એકત્વસપ્તતિ ]૧૪૯