Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 9-12 (4. Aekatvasaptati).

< Previous Page   Next Page >


Page 151 of 378
PDF/HTML Page 177 of 404

 

background image
(अनुष्टुभ् )
जन्तुमुद्धरते धर्मः पतन्तं दुःखसंकटे
अन्यथा स कृतो भ्रान्त्या लोकैर्ग्राह्यः परीक्षितः ।।।।
અનુવાદ : દુઃખરૂપ સંકુચિત માર્ગમાં (ખાડામાં) પડતા પ્રાણીનું રક્ષણ ધર્મ
જ કરે છે. પરંતુ બીજાઓએ એનું સ્વરૂપ ભ્રાન્તિવશ થઈને વિપરીત કરી દીધું છે.
તેથી મનુષ્યોએ તેનું (ધર્મનું) પરીક્ષાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. ૯.
(अनुष्टुभ् )
सर्वविद्वीतरागोक्तो धर्मः सूनृततां व्रजेत्
प्रामाण्यतो यतः पुंसो वाचः प्रामाण्यमिष्यते ।।१०।।
અનુવાદ : જે ધર્મ સર્વજ્ઞ અને વીતરાગ દ્વારા કહેવામાં આવ્યો હોય તે જ
યથાર્થપણાને પ્રાપ્ત થઈ શકે છે, કેમ કે પુરુષની પ્રમાણતાથી જ વચનમાં પ્રમાણતા
માનવામાં આવે છે.
વિશેષાર્થ : વચનમાં અસત્યપણું કાં તો અલ્પજ્ઞતાને કારણે હોય છે અથવા તો પછી
હૃદય રાગ-દ્વેષથી દૂષિત હોવાના કારણે. તેથી જે પુરુષ અલ્પજ્ઞ અને રાગ-દ્વેષ સહિત છે તેનો કહેલો
ધર્મ પ્રમાણ હોઈ શકે નહિ. પરંતુ જે પુરુષ સર્વજ્ઞ હોવાની સાથોસાથ રાગ-દ્વેષથી રહિત પણ થઈ
ગયા છે તેમનો જ કહેલો ધર્મ પ્રમાણ માની શકાય છે. ૧૦.
(अनुष्टुभ् )
बहिर्विषयसंबंधः सर्वः सर्वस्य सर्वदा
अतस्तद्भिन्नचैतन्यबोधयोगौ तु दुर्लभौ ।।११।।
અનુવાદ : બધા બાહ્ય વિષયોનો સંબંધ બધા પ્રાણીઓને અને તે પણ સદા કાળ
રહે છે. પરંતુ તેનાથી ભિન્ન ચૈતન્ય અને સમ્યગ્જ્ઞાનનો સંબંધ એ બન્ને દુર્લભ છે. ૧૧.
(अनुष्टुभ् )
लब्धिपञ्चकसामग्रीविशेषात्पात्रतां गतः
भव्यः सम्यग्द्रगादीनां यः स मुक्ति पथे स्थितः ।।१२।।
અનુવાદઃજે ભવ્યજીવ ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ
આ પંચ લબ્ધિઓ રૂપ વિશેષ સામગ્રીથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
અધિકાર૪ઃ એકત્વસપ્તતિ ]૧૫૧