Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 29-31 (4. Aekatvasaptati).

< Previous Page   Next Page >


Page 157 of 378
PDF/HTML Page 183 of 404

 

background image
અનુવાદ : જે પુણ્ય અને પાપરૂપ બન્ને દુષ્ટ રાક્ષસોને રાગ-દ્વેષના
પરિત્યાગરૂપ મહામંત્ર દ્વારા કીલિત કરી દેવામાં આવ્યા છે તેઓ હવે મારું (આત્માનું)
શું કરી શકશે? અર્થાત્ તેઓ કાંઈ પણ હાનિ કરી શકશે નહિ.
વિશેષાર્થ : જે પુણ્ય અને પાપરૂપ કર્મ પ્રાણીને અનેક પ્રકારનું કષ્ટ (પરતંત્રતા આદિ)
આપ્યા કરે છે તેમનો બંધ રાગ અને દ્વેષના નિમિત્તે જ થાય છે. તેથી ઉક્ત રાગદ્વેષનો પરિત્યાગ કરી
દેવાથી તેમનો બંધ સ્વયમેવ અટકી જાય છે અને આ રીતે આત્મા સ્વતંત્ર થઈ જાય છે. ૨૮.
(अनुष्टुभ् )
संबन्धेऽपि सति त्याज्यौ रागद्वेषौ महात्मभिः
विना तेनापि ये कुर्युस्ते कुर्युः किं न वातुलाः ।।२९।।
અનુવાદ : મહાત્માઓએ સંબંધ (નિમિત્ત) હોવા છતાં પણ તે રાગ-દ્વેષનો
પરિત્યાગ કરવો જોઈએ. જે જીવ તે (સંબંધ) ના વિના પણ રાગદ્વેષ કરે છે
તેઓ વાતરોગથી પિડાયેલા રોગી સમાન પોતાનું ક્યું અહિત નથી કરતા? અર્થાત્
તેઓ પોતાનું સર્વ પ્રકારે અહિત કરે છે. ૨૯.
(अनुष्टुभ् )
मनोवाक्कायचेष्टाभिस्तद्विधं कर्म जृभ्भते
उपास्यते तदेवैकं ताभ्यो भिन्नं मुमुक्षुभिः ।।३०।।
અનુવાદ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી તે પ્રકારનું અર્થાત્ તદનુસાર
પુણ્ય-પાપરૂપ કર્મ વૃદ્ધિ પામે છે. માટે મુમુક્ષુઓએ ઉક્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિથી
ભિન્ન તે જ એક આત્મતત્ત્વની ઉપાસના કર્યા કરે છે. ૩૦.
(अनुष्टुभ् )
द्वैततो द्वैतमद्वैतादद्वैतं खलु जायते
लोहाल्लोहमयं पात्रं हेम्नो हेममय यथा ।।३१।।
અનુવાદ : દ્વૈત ભાવથી નિયમથી દ્વૈત અને અદ્વૈતભાવથી અદ્વૈત ઉત્પન્ન થાય
છે. જેમ લોઢામાંથી લોઢાનું અને સોનામાંથી સોનાનું જ વાસણ ઉત્પન્ન થાય છે.
વિશેષાર્થ : આત્મા અને કર્મ તથા બંધ અને મોક્ષ ઇત્યાદિ પ્રકારની બુદ્ધિ તે
દ્વૈતબુદ્ધિ કહેવાય છે. એવી બુદ્ધિથી દ્વૈતભાવ જ બની રહે છે કે જેથી સંસાર પરિભ્રમણ
અધિકાર૪ઃ એકત્વસપ્તતિ ]૧૫૭