Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 46-50 (4. Aekatvasaptati).

< Previous Page   Next Page >


Page 162 of 378
PDF/HTML Page 188 of 404

 

background image
(अनुष्टुभ् )
मुमुक्षूणां तदेवैकं मुक्तेः पन्था न चापरः
आनन्दोऽपि न चान्यत्र तद्विहाय विभाव्यते ।।४६।।
અનુવાદ : મોક્ષાભિલાષી જનોને મોક્ષનો માર્ગ તે જ એક આત્મજ્યોતિ છે,
બીજો નહિ. તેના સિવાય બીજા સ્થાનમાં આનંદની પણ સંભાવના નથી. ૪૬.
(अनुष्टुभ् )
संसारघोरधर्मेण सदा तप्तस्य देहिनः
यन्त्रधारागृहं शान्तं तदेव हिमशीतलम् ।।४७।।
અનુવાદ : શાન્ત અને બરફ સમાન શીતળ તે જ આત્મજ્યોતિ સંસારરૂપી
ભયાનક તાપથી નિરંતર સંતાપ પામેલા પ્રાણીને યંત્રધારાગૃહ (ફુવારાઓ સહિતનું ઘર)
સમાન આનંદદાયક છે. ૪૭.
(अनुष्टुभ् )
तदेवैकं परं दुर्गमगम्यं कर्मविद्विषाम्
तदेवैत्ततिरस्कारकारि सारं निजं बलम् ।।४८।।
અનુવાદ : તે જ એક આત્મજ્યોતિ કર્મરૂપી શત્રુઓને દુર્ગમ એવો ઉત્કૃષ્ટ
દુર્ગ (કિલ્લો) છે તથા તે જ આ આત્મજ્યોતિ આ કર્મરૂપી શત્રુઓનો તિરસ્કાર
કરનારી પોતાની શ્રેષ્ઠ સેના છે. ૪૮.
(अनुष्टुभ् )
तदेव महती विद्या स्फु रन्मन्त्रस्तदेव हि
औषधं तदपि श्रेष्ठं जन्मव्याधिविनाशनम् ।।४९।।
અનુવાદ : તે જ આત્મજ્યોતિ વિપુલ બોધ છે, તે જ પ્રકાશમાન મંત્ર છે,
તથા તે જ જન્મરૂપી રોગનો નાશ કરનારી શ્રેષ્ઠ ઔષધિ છે. ૪૯.
(अनुष्टुभ् )
अक्षयस्याक्षयानन्दमहाफलभरश्रियः
तदेवैकं परं बीजं निःश्रेयसलसत्तरोः ।।५०।।
૧૬૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ