કહેવાય છે. એ જ રીતે તે શુદ્ધ ચૈતન્યરૂપ સામાન્ય સ્વભાવની અપેક્ષાએ એક અને
વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન ભિન્ન શરીર આદિને આશ્રિત રહેવાથી અનેક પણ કહેવાય
છે. તે સ્વસંવેદન પ્રત્યક્ષદ્વારા જાણવા યોગ્ય હોવાથી સ્વસંવેદ્ય તથા ઇન્દ્રિયજનિત જ્ઞાનનો
અવિષય હોવાથી અવેદ્ય પણ કહેવાય છે. તે નિશ્ચયથી વિનાશરહિત હોવાથી અક્ષર તથા
અકારાદિ અક્ષરોથી રહિત હોવાને કારણે અથવા વ્યવહારની અપેક્ષાએ વિનષ્ટ હોવાથી અનક્ષર
પણ કહેવાય છે. તે જ આત્મજ્યોતિ ઉપમા રહિત હોવાથી અનુપમ, નિશ્ચયનયથી શબ્દનો
અવિષય હોવાથી અનિર્દેશ્ય (અવાચ્ય), સાંવ્યવહારિક પ્રત્યક્ષાદિ પ્રમાણોનો વિષય ન હોવાથી
અપ્રમેય તથા આકુળતા રહિત હોવાને કારણે અનાકુળ પણ છે. એ સિવાય તે મૂર્તિક સમસ્ત
બાહ્ય પદાર્થોના સંયોગથી રહિત છે માટે શૂન્ય અને પોતાના જ્ઞાનાદિ ગુણોથી પરિપૂર્ણ હોવાથી
પૂર્ણ પણ મનાય છે. તે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિનાશરહિત હોવાથી નિત્ય તથા પર્યાયાર્થિક
નયની અપેક્ષાએ અનિત્ય પણ કહેવાય છે. ૫૮
અગોચર છે. ૬૦.
સમાન છે.
તે તો કેવળ સ્વાનુભવ ગોચર છે. ૬૧.