Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 75-78 (4. Aekatvasaptati).

< Previous Page   Next Page >


Page 169 of 378
PDF/HTML Page 195 of 404

 

background image
(अनुष्टुभ् )
हेयं हि कर्म रागादि तत्कार्यं च विवेकिनः
उपादेयं परं ज्योतिरुपयोगैकलक्षणम् ।।७५।।
અનુવાદ : વિવેકી મનુષ્યે કર્મ અને તેના કાર્યભૂત રાગાદિ પણ છોડવા યોગ્ય
છે અને ઉપયોગરૂપ એક લક્ષણવાળી ઉત્કૃષ્ટ જ્યોતિ ગ્રહણ કરવા યોગ્ય છે. ૭૫.
(इन्द्रवज्रा)
यदेव चैतन्यमहं तदेव तदेव जानाति तदेव पश्यति
तदेव चैकं परमस्ति निश्चयाद् गतोऽस्मि भावेन तदेकतां परम् ।।७६।।
અનુવાદ : જે ચૈતન્ય છે તે જ હું છું. તે જ ચૈતન્ય જાણે છે અને તે જ
ચૈતન્ય દેખે પણ છે. નિશ્ચયથી તે જ એક ચૈતન્ય ઉત્કૃષ્ટ છે. હું સ્વભાવથી કેવળ
તેની સાથે એકતા પામ્યો છું. ૭૬.
(वसंततिलका)
एकत्वसप्ततिरियं सुरसिन्धुरुच्चैः
श्रीपद्मनन्दिहिमभूधरतः प्रसूता
यो गाहते शिवपदाम्बुनिधिं प्रविष्टा-
मेतां लभेत स नरः परमां विशुद्धिम्
।।७७।।
અનુવાદ : જે આ એકત્વસપ્તતિ (સીત્તેર પદ્યમય એકત્વવિષયક પ્રકરણ) રૂપી
ગંગા ઉન્નત શ્રી પદ્મનન્દિરૂપી હિમાલય પર્વતથી ઉત્પન્ન થઈને મોક્ષપદરૂપી સમુદ્રમાં
પ્રવેશી છે તેમાં જે મનુષ્ય સ્નાન કરે છે (એકત્વસપ્તતિના પક્ષે
અભ્યાસ કરે છે)
તે મનુષ્ય અતિશય વિશુદ્ધિ પામે છે. ૭૭.
(वसंततिलका)
संसारसागरसमुत्तरणैकसेतु
मेनं सतां सदुपदेशमुपाश्रितानाम्
कुर्यात्पदं मललवोऽपि किमन्तरङ्गे
सम्यक्समाधिविधिसंनिधिनिस्तरङ्गे
।।७८।।
અધિકાર૪ઃ એકત્વસપ્તતિ ]૧૬૯