સ્થિત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ રાખતો થકો
ક્યારે ચેતન આત્મામાં લીન થઈને સ્થિત થઈશ? ૨.
(शार्दूलविक्रीडित)
धूलीधूसरितं विमुक्त वसनं पर्यङ्कमुद्रागतं
शान्तं निर्वचनं निमीलितद्रशं तत्त्वोपलम्भे सति ।
उत्कीर्णं द्रषदीव मां वनभुवि भ्रान्तो मृगाणां गणः
पश्यत्युद्गतविस्मयो यदि तदा माद्रग्जनः पुण्यवान् ।।३।।
અનુવાદ : તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં ધૂળથી મલિન(સ્નાન કર્યા વગરના), વસ્ત્ર
રહિત, પદ્માસનમાં સ્થિત, શાન્ત, વચન રહિત અને આંખો બંધ હોય એવી અવસ્થાને
પામેલા મને જો જંગલના પ્રદેશમાં ભ્રમ પ્રાપ્ત થયેલ મૃગોનો સમૂહ આશ્ચર્યચકિત થઈને
પથ્થરમાં કોતરેલી મૂર્તિ સમજવા લાગે તો મારા જેવો મનુષ્ય પુણ્યશાળી હશે. ૩.
(शार्दूलविक्रीडित)
वासः शून्यमठे क्वचिन्निवसनं नित्यं ककुम्मण्डलं
संतोषो धनमुन्नतं प्रियतमा क्षान्तिस्तपो वर्तनम् ।
मैत्री सर्वशरीरिभिः सह सदा तत्त्वैकचिन्तासुखं
चेदास्ते न किमस्ति मे शमवतः कार्यं न किंचित् परैः ।।४।।
અનુવાદ : જો કોઈ નિર્જન ઉપાશ્રયમાં મારો નિવાસ હોય, સદા દિશા સમૂહ
જ મારું વસ્ત્ર બની જાય, અર્થાત્ જો મારી પાસે કાંઈ પણ પરિગ્રહ ન રહે, સંતોષ
જ મારૂં ઉન્નત ધન થઈ જાય, ક્ષમા જ મારી પ્યારી સ્ત્રી બની જાય, એક માત્ર
તપ જ મારો વ્યાપાર થઈ જાય, બધા જ પ્રાણીઓ સાથે મૈત્રીભાવ થઈ જાય તથા
જો હું સદાય એક માત્ર તત્ત્વવિચારથી ઉત્પન્ન થનાર સુખનો અનુભવ કરવા લાગું;
તો પછી અતિશય શાન્તિને પ્રાપ્ત થયેલ મારી પાસે શું નથી? બધું જ છે. એવી
અવસ્થામાં મને બીજાઓનું કાંઈ પણ પ્રયોજન નથી રહેતું. ૪.
(शार्दूलविक्रीडित)
लब्धवा जन्म कुले शुचौ वरवपुर्बुद्धवा श्रुतं पुण्यतो
वैराग्यं च करोति यः शुचि तपो लोके स एकः कृती ।
૧૭૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ