Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 6-7 (5. Yatibhavnashtkam).

< Previous Page   Next Page >


Page 173 of 378
PDF/HTML Page 199 of 404

 

background image
तेनैवोज्झितगौरवेण यदि वा ध्यानामृतं पीयते
प्रासादे कलशस्तदा मणिमयो हैमे समारोपितः
।।।।
અનુવાદ : લોકમાં જે મનુષ્ય પુણ્યના પ્રભાવથી ઉત્તમ કુળમાં જન્મ
લઈને, ઉત્તમ શરીર પામીને અને આગમ જાણીને વૈરાગ્ય પામ્યા થકા નિર્મળ
તપ કરે છે તે અનુપમ પુણ્યશાળી છે. તે જ મનુષ્ય જો પ્રતિષ્ઠાનો મોહ (આદર
સત્કારનો ભાવ) છોડીને ધ્યાનરૂપ અમૃતનું પાન કરે છે તો સમજવું જોઈએ કે
તેણે સુવર્ણમય મહેલ ઉપર મણિમય કળશની સ્થાપના કરી છે. ૫.
(शार्दूलविक्रीडित)
ग्रीष्मे भूधरमस्तकाश्रितशिलां मूलं तरोः प्रावृषि
प्रोद्भूते शिशिरे चतुष्पथपदं प्राप्ताः स्थितिं कुर्वते
ये तेषां यमिनां यथोक्त तपसां ध्यानप्रशान्तात्मनां
मार्गे संचरतो मम प्रशमिनः कालः कदा यास्यति
।।।।
અનુવાદ : જે સાધુ ગ્રીષ્મ ૠતુમાં પર્વતના શિખર ઉપર, સ્થિત શિલા
ઉપર, વર્ષા ૠતુનાં વૃક્ષના મૂળમાં તથા શિયાળો આવતાં ચોકમાં સ્થાન પ્રાપ્ત
કરીને ધ્યાનમાં સ્થિત થાય છે; જે આગમોક્ત અનશનાદિ તપનું આચરણ કરે
છે અને જેમણે ધ્યાન દ્વારા પોતાના આત્માને અતિશય શાન્ત કરી લીધો છે;
તેમના માર્ગે પ્રવર્તતા મારો સમય અત્યંત શાન્તિથી ક્યારે વીતશે? ૬.
(शार्दूलविक्रीडित)
भेदज्ञानविशेषसंहृतमनोवृत्तिः समाधिः परो
जायेताद्भुतधामधन्यशमिनां केषांचिदत्राचलः
वज्रे मुर्ध्नि पतत्यपि त्रिभुवने बह्निप्रदीप्ते ऽपि वा
येषां नो विकृतिर्मनागपि भवेत् प्राणेषु नश्यत्स्वपि
।।।।
અનુવાદ : મસ્તક ઉપર વજ્ર પડવા છતાં અથવા ત્રણે લોક અગ્નિથી
પ્રજ્વલિત થઈ જવા છતાં અથવા પ્રાણોનો નાશ થવા છતાં પણ જેમના ચિત્તમાં
થોડોય વિકારભાવ ઉત્પન્ન થતો નથી; એવા આશ્ચર્યજનક આત્મતેજને ધારણ
કરનાર કોઈ વિરલા જ શ્રેષ્ઠ મુનિઓને તે ઉત્કૃષ્ટ નિશ્ચળ સમાધિ હોય છે જેમાં
અધિકાર૫ઃ યતિભાવનાષ્ટક ]૧૭૩