ज्योतिर्यैः कलितं श्रितं च यतिभिस्ते सन्तु नः शान्तये
तद्वृत्तिस्तदपि प्रियं तदखिलश्रेष्ठार्थसंसाधकम्
તેનો જ આશ્રય પણ લીધો છે અને જે મુનિઓને તે જ આત્મતત્ત્વ ભવન છે, તે જ શય્યા
છે, તે જ સંપત્તિ છે, તે જ સુખ છે, તે જ વ્યાપાર છે, તે જ પ્યારૂં છે અને તે જ સમસ્ત
શ્રેષ્ઠ પદાર્થોને સિદ્ધ કરનાર છે; તે મુનિઓ આપણને શાન્તિ આપે. ૮.
श्रीमत्पङ्कजनन्दिभिर्विरचितं चिच्चेतनानन्दिभिः
किं किं सिध्यति वाञ्छितं न भुवने तस्यात्र पुण्यात्मनः
આવેલું આ આઠ શ્લોકમય ‘યતિભાવના’ પ્રકરણ પાપરૂપ શત્રુનો નાશ કરીને
રાજ્યલક્ષ્મી, સ્વર્ગલક્ષ્મી અને મોક્ષ આપનાર છે. જે ભવ્ય જીવ ત્રણે સંધ્યાકાળે
(પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળે) ભક્તિપૂર્વક તે યતિભાવનાષ્ટક વાંચે છે તે પુણ્યાત્મા
જીવને અહીં લોકમાં ક્યા ક્યા ઇષ્ટ પદાર્થ સિદ્ધ નથી થતા? અર્થાત્ તેને બધા ઇષ્ટ
પદાર્થ સિદ્ધ થાય છે. ૯.