Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8-9 (5. Yatibhavnashtkam).

< Previous Page   Next Page >


Page 174 of 378
PDF/HTML Page 200 of 404

 

background image
ભેદજ્ઞાન વિશેષદ્વારા મનનો વ્યાપાર (દુષ્ટ પ્રવૃત્તિ) અટકી જાય છે. ૭.
(शार्दूलविक्रीडित)
अन्तस्तत्त्वमुपाधिवर्जितमहंव्याहारवाच्यं परं
ज्योतिर्यैः कलितं श्रितं च यतिभिस्ते सन्तु नः शान्तये
येषां तत्सदनं तदेव शयनं तत्संपदस्तत्सुखं
तद्वृत्तिस्तदपि प्रियं तदखिलश्रेष्ठार्थसंसाधकम्
।।।।
અનુવાદ : જે મુનિઓએ બાહ્યઅભ્યંતર પરિગ્રહ રહિત અને ‘અર્હં’ શબ્દ દ્વારા
કહેવાતા ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ અંતસ્તત્ત્વ અર્થાત્ અંતરાત્માનું સ્વરૂપ જાણી લીધું છે તથા
તેનો જ આશ્રય પણ લીધો છે અને જે મુનિઓને તે જ આત્મતત્ત્વ ભવન છે, તે જ શય્યા
છે, તે જ સંપત્તિ છે, તે જ સુખ છે, તે જ વ્યાપાર છે, તે જ પ્યારૂં છે અને તે જ સમસ્ત
શ્રેષ્ઠ પદાર્થોને સિદ્ધ કરનાર છે; તે મુનિઓ આપણને શાન્તિ આપે. ૮.
(शार्दूलविक्रीडित)
पापारिक्षयकारि दातृ नृपतिस्वर्गापवर्गश्रियं
श्रीमत्पङ्कजनन्दिभिर्विरचितं चिच्चेतनानन्दिभिः
भक्त्या यो यतिभावनाष्टकमिदं भव्यस्त्रिसंध्यं पठेत्
किं किं सिध्यति वाञ्छितं न भुवने तस्यात्र पुण्यात्मनः
।।।।
અનુવાદ : આત્મચૈતન્યમાં આનંદનો અનુભવ કરનાર શ્રીમાન્ પદ્મનંદી
(ભવ્ય જીવોને પ્રફુલ્લિત કરનાર ગણધરાદિ અથવા પદ્મનંદી મુનિ) દ્વારા રચવામાં
આવેલું આ આઠ શ્લોકમય ‘યતિભાવના’ પ્રકરણ પાપરૂપ શત્રુનો નાશ કરીને
રાજ્યલક્ષ્મી, સ્વર્ગલક્ષ્મી અને મોક્ષ આપનાર છે. જે ભવ્ય જીવ ત્રણે સંધ્યાકાળે
(પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળે) ભક્તિપૂર્વક તે યતિભાવનાષ્ટક વાંચે છે તે પુણ્યાત્મા
જીવને અહીં લોકમાં ક્યા ક્યા ઇષ્ટ પદાર્થ સિદ્ધ નથી થતા? અર્થાત્ તેને બધા ઇષ્ટ
પદાર્થ સિદ્ધ થાય છે. ૯.
આ રીતે યતિભાવનાષ્ટક સમાપ્ત થયું. ૫
૧૭૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ