Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 21-23 (6. Upasak Sanskar).

< Previous Page   Next Page >


Page 180 of 378
PDF/HTML Page 206 of 404

 

background image
અનુવાદ : જે મનુષ્યો ઉત્તમ ગુરુ દ્વારા પ્રરૂપિત સમીચીન શાસ્ત્ર વાંચતા નથી
તેમને બુદ્ધિમાન મનુષ્ય બન્ને આંખોવાળા હોવા છતાં આંધળા સમજે છે. ૨૦.
(अनुष्टुभ् )
मन्ये न प्रायशस्तेषां कर्णाश्च हृदयानि च
यैरभ्यासे गुरोः शास्त्रं न श्रुतं नावधारितम् ।।२१।।
અનુવાદ : જેમણે ગુરુની સમીપે ન શાસ્ત્ર સાંભળ્યું છે અને ન તેને હૃદયમાં
ધારણ પણ કર્યું છે તેમને ઘણું કરીને ન તો કાન છે અને ન હૃદય પણ છે, એમ
હું સમજું છું.
વિશેષાર્થ : કાનનો સદુપયોગ એમાં જ છે કે તેમના દ્વારા શાસ્ત્રોનું શ્રવણ કરવામાં
આવેતેનાથી સદુપદેશ સાંભળવામાં આવે. તથા મનના લાભનો પણ એ જ સદુપયોગ છે કે તેના
દ્વારા સાંભળેલા શાસ્ત્રનું ચિન્તન કરાયતેનું રહસ્ય ધારણ કરાય. તેથી જે પ્રાણી કાન અને મન
મેળવીને પણ તેમને શાસ્ત્રના વિષયમાં જોડતા નથી તેમના તે કાન અને મન નિષ્ફળ જ છે. ૨૧.
(अनुष्टुभ् )
देशव्रतानुसारेण संयमो ऽपि निषेव्यते
गृहस्थैर्येन तेनैव जायते फलवद्व्रतम् ।।२२।।
અનુવાદ : શ્રાવક જો દેશવ્રત અનુસાર ઇન્દ્રિયોના નિગ્રહ અને
પ્રાણીદયારૂપ સંયમનું પણ સેવન કરે છે તો તેનાથી તેમનું તે વ્રત (દેશવ્રત) સફળ
થઈ જાય છે. અભિપ્રાય એ છે કે દેશવ્રતના પરિપાલનની સફળતા એમાં જ
છે કે તેના પછી પૂર્ણ સંયમ પણ ધારણ કરવામાં આવે. ૨૨.
(अनुष्टुभ् )
त्याज्यं मांसं च मद्यं च मधूदुम्बरपञ्चकम्
अष्टौ मूलगुणाः प्रोक्ताः गृहिणो द्रष्टिपूर्वकाः ।।२३।।
અનુવાદ : માંસ, મદ્ય, મધ અને પાંચ ઉદુમ્બર ફળ (ઉમરડો, કઠુમર, પાકર,
વડ અને પીપળો) નો ત્યાગ કરવો જોઈએ. સમ્યગ્દર્શન સાથે આ આઠ શ્રાવકના
મૂળગુણ કહેવામાં આવે છે.
વિશેષાર્થ : મૂળ શબ્દનો અર્થ જડ થાય છે. જે વૃક્ષના મૂળિયાં ખૂબ ઊંડા અને બળવાન
૧૮૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ