હોતા નથી તેમની સ્થિતિ લાંબા સમય સુધી રહી શકતી નથી.
દ્રઢ રહેતી નથી તેથી આ શ્રાવકના મૂળગુણ કહેવાય છે. એમની શરૂઆતમાં સમ્યગ્દર્શન અવશ્ય
હોવું જોઈએ, કેમકે તેના વિના ઘણું કરીને વ્રત આદિ બધું નિષ્ફળ જ રહે છે. ૨૩.
અહિંસાણુવ્રત, સત્યાણુવ્રત, અચૌર્યાણુવ્રત, બ્રહ્મચર્યાણુવ્રત અને પરિગ્રહપરિમાણાણુવ્રત. મન,
વચન અને કાયા દ્વારા કૃત, કારિત અને અનુમોદનારૂપે (નવ પ્રકારે) જે સંકલ્પપૂર્વક ત્રસ
જીવોની હિંસાનો પરિત્યાગ કરવામાં આવે છે તેને અહિંસાણુવ્રત કહે છે. સ્થૂળ અસત્ય વચન
સ્વયં ન બોલવું, બીજાને એ માટે પ્રેરિત ન કરવા તથા જે સત્ય વચનથી બીજા વિપત્તિમાં
પડતા હોય એવા સત્ય વચન પણ ન બોલવા, તેને સત્યાણુવ્રત કહે છે. મૂકેલું, પડેલું અથવા
ભુલાઈ ગયેલું પરધન આપ્યા વિના લેવું નહિ તે અચૌર્યાણુવ્રત કહેવાય છે. પરસ્ત્રી સાથે ન
તો પોતે સંબંધ રાખવો અને ન બીજાને પણ એ માટે પ્રેરિત કરવા, તેને બ્રહ્મચર્યાણુવ્રત
અથવા સ્વદારસંતોષ વ્રત કહેવાય છે. ધન
પર્વત આદિની મર્યાદા કરીને તેની બહાર ન જવાનો મરણ પર્યન્ત નિયમ કરી લેવો તેને
દિગ્વ્રત કહેવાય છે. જે કામોથી કોઈ પ્રકારનો લાભ ન થતાં કેવળ પાપ જ ઉત્પન્ન થાય
છે તે અનર્થદંડ કહેવાય છે. અને તેના ત્યાગને અનર્થદંડવ્રત કહેવાય છે. જે વસ્તુ એક જ
વાર ભોગવવામાં આવે છે તે ભોગ કહેવાય છે
ભોગોપભોગપરિમાણ વ્રત કહે છે. આ ત્રણે વ્રત મૂળગુણોની વૃદ્ધિનાં કારણ છે, તેથી એમને
ગુણવ્રત કહેવામાં આવે છે. દેશાવકાશિક, સામાયિક, પ્રોષધોપવાસ અને વૈયાવૃત્ય એ ચાર