Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 27-30 (6. Upasak Sanskar).

< Previous Page   Next Page >


Page 183 of 378
PDF/HTML Page 209 of 404

 

background image
અનુવાદ : જે દેશાદિના નિમિત્તે સમ્યગ્દર્શન મલિન થતું હોય અને
વ્રતોનો નાશ થતો હોય એવા તે દેશ, તે મનુષ્ય, તે દ્રવ્ય તથા તે ક્રિયાઓનો
પણ પરિત્યાગ કરી દેવો જોઈએ. ૨૬.
(अनुष्टुभ् )
भोगोपभोगसंख्यानं विधेयं विधिवत्सदा
व्रतशून्या न कर्तव्या काचित् कालकला बुधैः ।।२७।।
અનુવાદ : વિદ્વાન મનુષ્યોએ નિયમાનુસાર સદા ભોગ અને ઉપભોગરૂપ
વસ્તુઓનું પ્રમાણ કરી લેવું જોઈએ. તેમનો થોડોક સમય પણ વ્રત રહિત ન જવો જોઈએ.
વિશેષાર્થ : જે વસ્તુ એક જ વાર ઉપયોગમાં આવતી હોય તેને ભોગ કહેવાય છે
જેમ કે ભોજ્ય પદાર્થ અને માળા વગેરે. એનાથી ઉલ્ટું જે વસ્તુ અનેક વાર ઉપયોગમાં આવતી
હોય તે ઉપભોગ કહેવાય છે.
જેમ કે વસ્ત્ર આદિ. આ બન્નેય પ્રકારના પદાર્થોનું પ્રમાણ કરીને
શ્રાવકે તેનાથી અધિકની ઇચ્છા ન કરવી જોઈએ. ૨૭.
(अनुष्टुभ् )
रत्नत्रयाश्रयः कार्यस्तथा भव्यैरतन्द्रितैः
जन्मान्तरे ऽपि तच्छ्रद्धा यथा संवर्धते तराम् ।।२८।।
અનુવાદ : ભવ્ય જીવોએ આળસ છોડીને રત્નત્રયનો આશ્રય એ રીતે
કરવો જોઈએ કે જે રીતે તેમનું ઉક્ત રત્નત્રયવિષયક શ્રદ્ધાન (દ્રઢતા) બીજા
જન્મમાં પણ અતિશય વૃદ્ધિ પામતું રહે. ૨૮.
(अनुष्टुभ् )
विनयश्च यथायोग्यं कर्तव्यः परमेष्ठिषु
द्रष्टिबोधचरित्रेषु तद्वत्सु समयाश्रितैः ।।२९।।
અનુવાદ : એ ઉપરાંત શ્રાવકોએ જિનાગમના આશ્રિત થઈને અર્હદાદિ પાંચ
પરમેષ્ઠી, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર તથા આ સમ્યગ્દર્શનાદિ ધારણ
કરનાર જીવોનો પણ યથાયોગ્ય વિનય કરવો જોઈએ. ૨૯.
(अनुष्टुभ् )
दर्शनज्ञानचारित्रतपःप्रभृति सिध्यति
विनयेनेति तं तेन मोक्षद्वारं प्रचक्षते ।।३०।।
અધિકાર૬ઃ ઉપાસક સંસ્કાર ]૧૮૩