સમુદ્ર પાર થવામાં નૌકાનું કામ કરનાર જે સત્પાત્રદાન છે તે તેનો મહાન ગુણ છે.
અભિપ્રાય એ છે કે શ્રાવકના સમસ્ત કાર્યોમાં મુખ્ય કાર્ય સત્પાત્રદાન છે. ૭.
काले क्लिष्टतरे ऽपि मोक्षपदवी प्रायस्ततो वर्तते
દિગંબર સાધુને જ હોય છે, ઉક્ત સાધુની સ્થિતિ શરીરના નિમિત્તે હોય છે, તે
શરીરની સ્થિતિ ભોજનના નિમિત્તે હોય છે અને તે ભોજન શ્રાવકો દ્વારા આપવામાં
આવે છે. આ રીતે આ અતિશય ક્લેશયુક્ત કાળમાં પણ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ ઘણું
કરીને તે શ્રાવકોના નિમિત્તે જ થઈ રહી છે. ૮.
साधूनां तु न सा ततस्तदपटु प्रायेण संभाव्यते
यत्तस्मादिह वर्तते प्रशमिनां धर्मो गृहस्थोत्तमात्
ઘણું કરીને અસ્વસ્થ થઈ જાય છે. આવી દશામાં શ્રાવક તે શરીરને ઔષધ, પથ્ય
ભોજન અને જળ દ્વારા વ્રત પરિપાલનને યોગ્ય કરે છે તેથી જ અહીં તે મુનિઓનો
ધર્મ ઉત્તમ શ્રાવકના નિમિત્તે જ ચાલે છે. ૯.